T-20 World Cup 2024 : IND અને England વચ્ચે રોમાંચક મેચ, સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને આપ્યો આટલા રનથી પરાજય, આ તારીખે રમાશે ફાઈનલ


  • Published By :
  • Published Date : 2024-06-28 12:09:43

હાલ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ મેચને જોવાનો ક્રેઝ ક્રિકેટ ચાહકોમાં અલગ જ હોય છે.. અને એમાં પણ જો ભારતની મેચ હોય તો તો વાત અલગ જ છે. ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ રમાઈ હતી. ભારતના ખેલાડીઓએ ઈંગ્લેન્ડના ખેલાડીઓને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 20 ઓવરમાં ભારતીય ટીમે 171 રન બનાવ્યા હતા સાત વિકેટ ગુમાવીને... ટાર્ગેટ 172નો હતો પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ટીમ ઈન્ડિયાની જીત થઈ ગઈ..

 

68 રનથી ભારતની ટીમનો વિજય થયો

ક્રિકેટના ચાહકો માટે ટી 20 વર્લ્ડ કપ જોવાનો ક્રેઝ અલગ જ હોય છે.. ભારતમાં મોટા ભાગના લોકોને જો તમે પૂછશો કે તમને કઈ રમત ગમે તો તે કહેશે ક્રિકેટ. એમાં પણ જો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય તો તો વાત જ અલગ છે માહોલ જ અલગ  છે.. હાલ ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ગઈકાલે બીજી સેમિ ફાઈનલ મેચ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ હતી જેમાં ભારતની ટીમે 68 રનથી જીત મેળવી છે. 


29 તારીખે છે ફાઈનલ મેચ 

રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી જ્યારે સૂર્યકુમાર યાદવે પણ ટીમને જીતાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે 36 બોલમાં 47 રન બનાવ્યા.. કુલદીપ યાદવે પણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ગુરૂવારે રમાયેલી મેચ એકદમ રોમાંચક હતી. 29 તારીખે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થવાનો છે. બધાની નજર આ મેચ પર રહેવાની છે.ત્યારે તમને ગઈકાલની મેચ કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો..  



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.