T-20: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 18:35:31

ભારતે ટી-20 વર્લ્ડ કપ 2022નો સૌથી મોટો વર્લ્ડ કપ મેચ જીતી લીધો છે. પાકિસ્તાનને ભારતે 4 વિકેટથી હરાવ્યું છે. આ મેચના હીરો વિરાટ કોહલી રહ્યા છે કારણ કે તેમણે અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 31 રન પર જ્યારે 4 વિકેટ પડી ગઈ હતી ત્યારથી મેચ પોતાના હાથમાં લઈ લીધી હતી. 


છેલ્લી ઓવરે કરી દીધા શ્વાસ અધ્ધર

છેલ્લી ઓવરમાં જ્યારે 16 રનની જરૂર હતી ત્યારે કોહલીએ જ નો બોલમાં 6 રન ફટકારી ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. છેલ્લી ઓવરના પહેલા બોલમાં  વિકેટ ગઈ હતી. બીજા બોલ પર એક રન આવ્યો હતો. જ્યારે ત્રીજા બોલ પર બે રન આવ્યા હતા. હવે ચોથા બોલ પર વિરાટ કોહલી સ્ટ્રાઈક પર હતા, વિરાટ કોહલીએ નો બોલ પર સિક્સ ફટકારી દીધી હતી અને ત્યાર બાદ બોલર પ્રેશરમાં આવી જતાં વાઈડ બોલ ફેંકી દીધો હતો. ત્યાર બાદ ચોથા બોલમાં વિરાટે ત્રણ રન કર્યા હતા અને સ્ટ્રાઈક બદલાઈ હતી. પાંચમા બોલ પર વિકેટ ગઈ હતી અને વિકેટ બાદ વાઈડ બોલ ગયો હતો અને છેલ્લા બોલે અશ્વિને 1 રન ફટકારી ભારતને જીત અપાવી હતી. 


પાકિસ્તાનના વિરાટ કોહલી રહ્યા ઈફ્તિકાર-મસૂદ 

પાકિસ્તાન તરફથી ઈફ્તિકાર અહમદે 51 રનની ઈનિંગ રમી હતી. શાન મસૂદે પણ 52 રન બનાવ્યા હતા. આ જ બંને બલ્લેબાજોએ પાકિસ્તાનની ટીમને સંભાળી હતી. બંને ઓપનર્સે ફિફ્ટી પણ પૂરી કરી હતી. ઈફ્તિકારની વાત કરીએ તો શમીના બોલ પર તેમનો એક કેચ આશ્વિનથી છૂટ્યો હતો. પાકિસ્તાનના 6 બેટ્સમેન બે આંકડાના રન નહોતા બનાવી શક્યા 




સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?