સિવિલમાં 122 દિવસ પછી સ્વાઇનફ્લુ અને કોરોના વોર્ડ ખાલી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:36:21


છેલ્લા કેટલાક મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફ્લુ અને કોરોનાના કેસ ધીમે ધીમે ઘટતાં જઈ રહ્યા છે. તેમ છતાં સામાન્યથી લઇને મધ્યમ લક્ષણો સાથે કોરોનાના બેથી ત્રણ અને સ્વાઈન ફલૂના 1થી 2 દર્દી દાખલ રહેતાં હતા. પરંતુ, રવિવારે સિવિલમાં 286 દિવસ પછી સ્વાઈન ફલૂ અને 122 દિવસ પછી કોરોનાનો એકપણ દર્દી દાખલ નથી.




સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ  જણાવ્યું કે  વરસાદી માહોલને કારણે બે મહિના પહેલા હોસ્પિટલમાં કોવિડ અને સ્વાઇન ફ્લૂના દર્દીની સંખ્યામાં વધઘટ થતી હતી. કયારેક સ્વાઈન ફલૂ તો કયારેક કોવિડના દર્દી વધુ નોંધાતા હતા. મોટાભાગના દર્દીમાં સામાન્યથી મધ્યમ લક્ષણો જ્યારે વિવિધ રોગથી પીડાતા મોટી ઉંમરના દર્દીને ઓક્સિજનથી લઇને બાયપેપ પર રાખવાની જરૂર પડતી હતી. પરંતુ, છેલ્લાં દોઢ મહિનાથી સ્વાઈન ફલૂ અને કોવિડ બંને રોગના દર્દીનો આંકડો ઘટીને 10ની આજુબાજુ પહોંચ્યો હતો. જેમાં ક્રમશ ઘટાડો થઇને હવે રવિવારે એકપણ દર્દી દાખલ રહ્યો નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.