સ્વર કોકિલા લતા મંગેશકરના મૃત્યુને એક વર્ષ થયું પૂર્ણ, સેન્ડ આર્ટિસ્ટે અનોખી રીતે પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-06 15:54:41

ભારતમાં એવી અનેક હસ્તીઓ થઈ ગઈ જેમણે ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે નામના મેળવી છે. તે પ્રતિભાઓમાંથી એક એવી વ્યક્તિ જેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી તે છે લતા મંગેશકર. બોલિવુડની લિજેન્ડરી સિંગર અને ભારત રત્નથી સન્માનિત પીઢ ગાયિકા લતા મંગેશકરની આજે પુણ્યતિથી છે. 6 ફેબ્રુઆરીના રોજ લતા દીદીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.   

10 rare photos of legendary singer Lata Mangeshkar | Times of India

લતા મંગેશકર ભારતની એવી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક હતા જેમણે પોતાના કૌશલ્યથી લોકોને અચંબીત કરી દીધા હતા. નાઈટિંગેલ લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મરાઠી પરિવારમાં પંડિત દીનનાથ મંગેશકર અને સુધામતીને ત્યાં થયો હતો. લતા દીદીને વારસામાં સંગીત મળ્યું હતું કારણ કે તેમના પિતા પણ ગાયક કલાકાર હતા. 

From the archives: Lata Mangeshkar, the voice that can't be missed

માત્ર પાંચ વર્ષની ઉંમરે લતા મંગેશકરે ગાવાનું શરૂ કરી દીધું હતું. જવાબદારીઓને કારણે ગાયનને જ પોતાનો વ્યવસાય બનાવાનું નક્કી કર્યું. અનેક હિંદી તેમજ મરાઠી ફિલ્મોમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. પોતાના જીવનના સફર દરમિયાન લતા મંગેશકરે 1000થી વધુ હિંદી ભાષામાં ગીતો ગાયા છે. 

Lata Mangeshkar Passes Away Two-day National Mourning Observed National  Flag Fly Half-mast 2 Days- Govt Sources | Lata Mangeshkar Passes Away: લતા  મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પોતાના શરૂઆતના દિવસોમાં લતા મંગેશકરે અભિનય પણ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે હિંદી ભાષામાં તેમનું પ્રથમ સોંગ હતું માતા એક સપુત કી ગીત. તે બાદ તે સમયના પ્રખ્યાત સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરના સંપર્કમાં તેઓ આવ્યો અને તેમના અવાજને ઈન્ડસ્ટ્રી સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ તેમની સાથે અનેક ગીતો ગાયા. તે બાદ વર્ષ 1948માં માસ્ટર હુલામ હૈદરની ફિલ્મ મજબૂરમાં લતાએ ગીત ગાયું જેને કારણે તેમનું નસીબ બદલાઈ ગયું. આ બાદ ઈન્ડસ્ટીની જાણીતી હસ્તી બની ગયા હતા.  

સ્વર કોકિલા ગણાતા લતા મંગેશકરે અનેક ગાયકો સાથે કામ કર્યો હતો. કિશોર કુમારની સાથે તેમણે હિટ ગીતો આપ્યા હતા. તે સિવાય મોહમ્મદ રફી સાથે પણ તેમણે અનેક હિટ ગીતો ગાયા. પોતાના જીવન દરમિયાન સંગીત ક્ષેત્રે તેમણે અનોખું યોગદાન આપ્યું છે. 2001માં લતા મંગેશકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તે પહેલા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તેમજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમને સન્માનિત કરાયા હતા. 

Lata Mangeshkar Last Rites: पंचतत्‍व में विलीन हुईं सबकी चहेती लता दीदी,  पीएम मोदी सहित तमाम हस्तियों ने किया अंतिम प्रणाम

અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. લતા મંગેશકર પણ કોરોના સંક્રમિત થયા હતા અને સાથે સાથે તેમને ન્યુમોનિયા પણ થયો હતો. બીમારી સામે તેઓ ઝઝૂમી ન શક્યા અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમનું અવસાન થઈ ગયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથીએ અનેક મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે તે ઉપરાંત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર તેમની રેતીથી પ્રતિમા બનાવી છે.

   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!