Ram Mandir આંદોલન વખતે કાર સેવકો પર ગોળી ચલાવવાના નિર્ણયને Swami Prasad Mauryaએ યોગ્ય ગણાવ્યો, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-10 13:52:14

દરેક જગ્યા પર અયોધ્યના રામ મંદિરની ચર્ચા થઈ રહી છે. 22 જાન્યુઆરીની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા છે. આ તારીખે ભગવાન રામની મૂર્તિ નવનિર્મિત મંદિરમાં સ્થાપિત થશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે. દુલ્હનની જેમ આખી રામનગરીને સજાવવામાં આવી છે. રામ મંદિરને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. મંદિરને લઈ અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે રામ પ્રસાદ મોર્યનું એક નિવેદન સામે આવ્યું છે  જેમાં તે કહી રહ્યા છે કે કાર સેવકો પર કરવામાં આવેલી ગોળીબારી યોગ્ય હતી! 

કાર સેવકો પર કરવામાં આવી હતી ગોળીબારી  

રામ મંદિરને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. રામ મંદિરને લઈ અનેક આંદોલનો ચાલ્યા, અનેક કાર સેવકોએ ગોળી ખાધી. દેશના અનેક રાજ્યોમાં આ આંદોલનની ચળવળ જોવા મળી હતી. આ આંદોલન 500 વર્ષ ચાલ્યું. આખા આંદોલન દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને તોડવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં કાર સેવકો ત્યાં હાજર હતા. કાર સેવકો પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત 5 કાર સેવકોના મોત થઈ ગયા હતા. જ્યારે આખી ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હતા. આ ગોળીબારના બે દિવસ પછી એટલે કે 2 નવેમ્બરે હજારો કાર સેવક હનુમાન ગઢીની નજીક પહોંચી ગયા હતા. આ ઘટનાના બે દિવસ પછી 6 ડિસેમ્બર, 1992માં વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો હતો. 


તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા મુલાયમ સિંહ 

વિવાદને ધ્યાનમાં રાખી પોલીસના કાફલાને પણ તૈનાત કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે બારકેડિંગ પણ લગાવી દીધી હતી. મોટા પ્રમાણમાં કાર સેવકો ત્યાં હાજર હતા. ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે કાર સેવકો પર ગોળી ચલાવી દીધી. પોલીસની ગોળીબારીથી પાંચ કાર સેવકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી મુલાયમ સિંહનું નિવેદન પણ સામે આવ્યું હતું. સીએમએ દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો આ કર્યા સિવાય. 

अतीत के आईने सेः उत्तर प्रदेश की राजनीति में वंशवृक्ष 'मुलायम सिंह' का  सियासी कुनबा - Mulayam Singh political dynasty in Uttar Pradesh Jagran  Special

સ્વામી પ્રસાદ મોર્યનું સામે આવ્યું નિવેદન!

ત્યારે રામ મંદિરને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે સરકારે સંવિધાન અને કાયદાની રક્ષા કરવા માટે ગોળીબારી કરી હતી. કોઈ પણ પ્રશાસનિક કે ન્યાયપાલિકાની પરવાનગી લીધા વગર મોટા પ્રમાણમાં અરાજક તત્વોએ તોડફોડ કરી હતી. તત્કાલીન સરકારે સંવિધાન અને કાનૂનની રક્ષા માટે, સુખ શાંતિ બચાવવા માટે ગોળી ચલાવડાવી હતી. તે સરકારનું પોતાનું કર્તવ્ય હતું અને સરકારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.