SC, ST, OBC, મુસ્લિમો અને વિચરતી જાતિઓ માટે શરૂ કરાઈ સ્વાભિમાન હેલ્પલાઈન, પિડીતો ફોન કરીને માગી શકશે મદદ


  • Published By :
  • Published Date : 2023-05-22 17:25:14

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર હુમલા વધી રહ્યા છે. આ લોકો પર એક યા બીજી રીતે અત્યાચારો થઈ રહ્યા છે. તાજેતરમાં ગૃહમંત્રી દ્વારા પાર્લામેન્ટમાં આપવામાં આવેલા ચોંકાવનારા આંકડામાં પણ આ હકીકતનો ખુલાસો થયો હતો. ગૃહમંત્રીના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 4 વર્ષમાં અનુસુચિત જાતિના એટલે કે દલિત સમાજના 1.89 લાખ એટ્રોસીટીના અત્યાચારના કેસ નોંધાયા છે. દલિત સમાજ પર એક કે બીજા પ્રકારે અત્યાચારો અને હિંસાની ઘટનાઓ વધી રહી છે. સરકારે આપેલા સત્તાવાર આંકડા ઉપરાંત અત્યાચારની વણનોંધાયેલી બીજી હજારો ઘટનાઓ રાજ્ય અને દેશમાં બને છે, જે ક્યારેય સામે આવતી જ નથી. આ જ કારણે રાજ્યમાં સ્વાભિમાન હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે.


ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપી જાણકારી


વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સ્વાભિમાન હેલ્પલાઈન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ હેલ્પલાઈનનો હેતુ દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવાનો છે. જિજ્ઞેશ મેવાણીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું કે ગુજરાતમાં અત્યાચારની આવી ઘટનાઓ સતત બની રહી છે. જેમ કે ઉના કાંડ, થાનગઢ દલિત હત્યાકાંડ, ભાનુભાઈ વણકરનું આત્મવિલોપન, અમરાભાઈ બોરીચા હત્યાકેસ, તાજેતરમાં બનેવી વાલમની દીકરી સાથે થયેલી ઘટના કે પછી દલિતોને કુવામાંથી પાણી ન ભરવા દેવું, મંદિર પ્રવેશના મુદ્દે દલિત વ્યક્તિ સાથે મારપીટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.


સ્વાભિમાન હેલ્પલાઈન શા માટે?


રાજ્યમાં  દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. આ વર્ગના લોકો તેમની સાથે થઈ રહેલા અત્યાચારોની ફરિયાદ નોંધાવવા જાય તો પણ તેમને બેફામ શબ્દો બોલી અડધુત કરીને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકવામાં આવે છે. આ જ પ્રકારે કલેક્ટર, પ્રાંત કે મામલતદાર કચેરીઓમાં પણ તેમની સાથે સહાનુભૂતિ દાખવવામાં આવતી નથી. આવા કિસ્સાઓમાં આ કચડાયેલા સમાજના લોકોને ન્યાય મળતો નથી. સ્વાભિમાન હેલ્પલાઈન શરૂ કરવાનો હેતું તેમને કાનુની મદદ અને સંરક્ષણ આપવાનો છે. સ્વાભિમાન હેલ્પલાઈનમાં ફોન કરનારી પિડીત વ્યક્તિને તમામ પ્રકારની મદદ આપવામાં આવશે. દલિતો અને આદિવાસીઓ સહિતના વર્ગના લોકો માટે આ હેલ્પલાઈન નંબર 9724344061  આશિર્વાદરૂપ સાબિત થશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.