સુઝલોન એનર્જીના ચેરમેન તુલસી તંતીનું હાર્ટ એટેકથી 64 વર્ષની વયે પુણેમાં નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 11:25:43

વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ડંકો વગાડનાર  અને સુઝલોન અનર્જીના ચેરમેન તુલસી તંતીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેમના નિધનથી ઔદ્યોગિક અને વેપાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિન્ડ એનર્જી ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવનાર અને ભારતના વિન્ડ મેન તરીકે ઓળખાતા તુલસી તંતીએ 64 વર્ષની વયે પુણેમાં અંતિમ શ્વાસ લીધા. 



તુલસી તંતીની જીવન યાત્રા


તુલસી તંતીનો જન્મ 2 ફેબ્રુઆરી, 1958ના રોજ રાજકોટમાં રણછોડભાઈ અને રંભાબેન તંતીના ઘેર થયો હતો. તેમનો પરિવાર ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલો હતો. તુલસી તંતીએ રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. પી ડી માલવિયા કોલેજમાંથી કોમર્સ અને પોલિટેકનિક ઈન્સ્ટિટ્યુટમાંથી  ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.  તુલસી તંતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બહુ મિત્રવર્ગ ધરાવતા હતાં.


કેવી રીતે આવ્યો સુઝલોનનો વિચાર?


તુલસી તંતીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1978માં પારિવારિક બિઝનેસમાં જોડાયા હતા. 1990ના દાયકામાં તંતી ટેક્સટાઈલ બિઝનેસમાં કામ કરી રહ્યા હતા, તે સમયે ભારતમાં વીજળીની મોટી સમસ્યા હતી. વીજળીની અનિયમિતતાના કારણે ટેક્સટાઈલ બિઝનેસના નફાનો મોટો ભાગ તેમાં ખર્ચ થઈ જતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે રાજકોટમાં કેટલાંક મિત્રોની મદદથી 1995માં પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને સુઝલોન કંપનીની સ્થાપના કરી. ધીમે ધીમે તેમનો બિઝનેસ જામવા લાગ્યો અને 2001માં તેમણે આ પવન ઊર્જા બિઝનેસમાં સંપૂર્ણ ધ્યાન આપી શકાય તે હેતુથી ટેક્સટાઈલ યુનિટ વેચી દીધું.


આજે સુઝલોન એનર્જી વિન્ડ ટર્બાઈનના ઉત્પાદન અને સર્વિસિગ સાથે સંકળાયેલું નામ ધરાવે છે. તે દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. સુઝલોન એનર્જી 17 જેટલા દેશોમાં 19 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ધરાવે છે. કંપનીએ 27 વર્ષ પહેલા પવન ચક્કીની શરૂઆત કરી હતી. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.