Junagadh તોડકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ PI Taral Bhattની પોલીસે કરી ધરપકડ!


  • Published By :
  • Published Date : 2024-02-02 14:25:59

ખાખીનો ઉપયોગ કરી કથિત રીતે તોડ કરતા ત્રણ સ્ટાર વાળા સસ્પેન્ડેડ પીઆઇની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગુજરાત પોલીસને માથે કલંકનું ટીકુ લગાડનાર પીઆઇના તોડકાંડ બાબતે હવે તપાસ કરવામાં આવશે અને જો આ તોડકાંડમાં પીઆઇ દોશી હશે તો આ પીઆઇને દિવસમાં તારા દેખાશે.

તરલ ભટ્ટની કરવામાં આવી ધરપકડ 

અહીંયા વાત થઈ છે જૂનાગઢ તોડકાંડની કે જેના મુખ્ય આરોપી છે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટની . આ તરલ ભટ્ટની ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરુંમળી આવ્યું હતું અન્ય બે આરોપીની શોધખોળ ATSએ હાથ ધરી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.

જૂનાગઢ તોડકાંડ મામલે ફરાર CPI તરલ ભટ્ટની ATSએ ધરપકડ કરી - મુંબઈ સમાચાર

જેલના હવાલે થશે તરલ ભટ્ટ!

સાયબર ક્રાઇમના એક્ષ્પર્ટ પીઆઇ તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓ પણ થઇ હતી પણ હવે તરલ ભટ્ટ જેલની હવા ખાવાના છે કારણ કે તે જૂનાગઢ તોડકાંડમાં આરોપી છે.  ત્યારે જૂનાગઢ તોડકાંડ છે શું અને શું તોડ થયો હતો તેની વાત કરીયે તો આ પીઆઇ દ્વારા 335 જેટલા બેન્ક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિની ફરિયાદથી આ તોડકાંડ બહાર આવ્યું. 


શું હતો સમગ્ર મામલો? 

કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા સીઝ કરવામાં આવ્યું હતું. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈ.જીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ IGએ તપાસ કરાવતા SOG દ્વારા આવા એક-બે નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


એ.ટી.એસ કરી રહી હતી તરલ ભટ્ટની તપાસ!

જૂનાગઢના આ તોડકાંડની ગુંજ છેક ગાંધીનગર અને સરકાર સુધી પહોંચી હતી અને સરકારની મધ્યસ્થી બાદ આ કેસમાં ફરિયાદ દાખલ થઈ હતી. હવે આ કેસની તપાસ સરકારની ખાસ ગણાતી ATS કરી રહી છે. જે એજન્સીનું કામ આતંકવાદી પકડવાનું છે તે એજન્સી હવે આ તોડકાંડની તપાસ કરી રહી છે. હવે તરલ ભટ્ટના હાજર થયા બાદ તેની તપાસ કઈ દિશામાં જાય છે તે હવે જોવું રહ્યું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!