સુષ્મિતા સેને એન્જિયોપ્લાસ્ટી બાદ ફરી શરૂ કર્યું વર્ક આઉટ, સોશિયલ મીડિયામાં શેઅર કરી તસવીર


  • Published By :
  • Published Date : 2023-03-08 15:37:38

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને ફરીથી તેનું રૂટીન વર્કઆઉટ શરૂ કરી દીધું છે.  સુષ્મિતા સેને સોશિયલ મીડિયામાં તેની વર્કઆઉટ કરતી એક તસવીર પણ શૅર કરી છે. આ તસવીરમાં તે સ્ટ્રેચિંગ કરતી જોવા મળી હતી. સુષ્મિતાએ હોળીની શુભેચ્છા આપીને કહ્યું હતું કે તેના વર્કઆઉટને કાર્ડિયોલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સુષ્મિતાને 27 ફેબ્રુઆરીના દિવસે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં જ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સુસ્મિતા સેને જ તેને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી. 


  સુષ્મિતા સેને શું કહ્યું?


સુષ્મિતાએ વર્કઆઉટની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'વ્હીલ ઑફ લાઇફ. આ મારા કાર્ડિયલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. સ્ટ્રેચિંગ શરૂ થઈ ગયું છે. મજા આવે છે. આ મારી હેપ્પી હોલી છે. તમારી કેવી છે?'


શૂટિંગ દરમિયાન બીમાર પડી


સુષ્મિતા સેન શૂટિંગમાં દરમિયાન જ બિમાર પડતા સેટ પર હાજર ડૉક્ટરે સુષ્મિતાને તપાસી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. નાણાવટી હોસ્પિટલના ડૉક્ટરે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કહ્યું હતું અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. સુષ્મિતાને હાર્ટમાં 95% બ્લોકેજ હતું. નાણાવટી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી બાદ પહેલી માર્ચે સુષ્મિતા સેનને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ એક્ટ્રેસે સો.મીડિયામાં ચાહકોને આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનિય છે કે 47 વર્ષીય સુસ્મિતા સેન બોલિવુડની ફિટેસ્ટ એક્ટ્રેસ પૈકીની એક છે. તે સોશિયલ મીડિયામાં અવાર-નવાર ફિટનેસ વીડિયો અને તસવીરો શૅર કરતી હોય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે