સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000 રૂપિયાની નોટને બંધ કરવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2022-12-13 11:09:25

8 નવેમ્બર 2016ની મધ્યરાત્રીએ વડાપ્રધાન મોદીએ નોટબંધીના નિર્ણય અંગે જાહેરાત કરી હતી. જેને લઈ 500 તેમજ 1000 રૂપિયાની નોટને પાછી લેવાઈ હતી. આ નિર્ણય પાછળ સરકાર એવું માનતી હતી કે મોટી નોટ બંધ કરવાથી દેશમાં ભ્રષ્ટાચાર અટકી જશે. પરંતુ નોટબંધી લાગુ કર્યા બાદ 2000 રૂપિયાની નોટને ચલણમાં મૂકી હતી. ત્યારે આ 2000 રૂપિયાની નોટને બંધ કરવા ભાજપના જ સંસદસભ્ય સુશીલકુમાર મોદીએ માગણી કરી છે. રાજ્યસભામાં 2000ની ચલણી નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. જેને કારણે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ નોટ ચાલતી નથી ઉપરાંત એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે 2000ની નોટ બંધ કરવી જોઈએ તેવી માગ તેમણે કરી હતી.

  

ભ્રષ્ટાચારને રોકવા સરકારે કરી હતી નોટબંધી  

મોદી સરકારે આટલા વર્ષોના શાસનમાં અનેક નિર્ણયો લીધા છે. અનેક એવા નિર્ણયો હતા જેનો ભારે વિરોધ થયો હતો. તેમાંથી એક નિર્ણય હતો નોટબંધીનો. 9 ડિસેમ્બર 2016થી 500 અને 1000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૈસા જમા કરાવા લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવું પડતું હતું. આટલી મુસીબતનો સામનો લોકોએ કર્યો એમ માનીને કે ભષ્ટ્રાચાર ઓછો થશે. પરંતુ થોડા સમય બાદ સરકારે 2000 રૂપિયાની નોટ ચલણમાં મૂકી. આ નોટને જોઈ લોકો આશ્ચર્ય પામ્યા. પરંતુ આ નિર્ણયનો લોકોએ સ્વીકાર કર્યો.

નોટબંધી News in Gujarati, Latest નોટબંધી news, photos, videos | Zee News  Gujarati


2000ની નોટને બંધ કરવા સુશીલકુમાર મોદીએ કરી માગ

પરંતુ ધીરે-ધીરે બજારમાંથી 2000 નોટ લુપ્ત થતી ગઈ. હાલ પણ 2000ની નોટ બહુ ઓછી જોવા મળે છે. ત્યારે આ વાતને રાજ્યસભામાં ભાજપના જ નેતાએ ઉપાડ્યો હતો. બિહાપન પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000ની નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટનો ઉપયોગ ગેરકાયદેસર વ્યાપારમાં મોટા પાયે કરાતો હતો જેને કારણે આ નોટ સરકાર ઓછી છાપી રહી છે. આ ગુલાબી રંગની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે સરકારે 2000 રૂપિયાની નોટને વ્યવહારમાંથી બંધ કરવી જોઈએ તેવી માગ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યે કરી છે.     




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.