સુશીલ મોદીએ સમલૈંગિક લગ્નોને મુદ્દે ઉઠાવ્યા સવાલ, સંસદમાં કહ્યું, 'બે ન્યાયાધીશ લગ્નનો નિર્ણય ન કરી શકે'


  • Published By :
  • Published Date : 2022-12-19 21:48:12

ભાજપના રાજ્ય સભા સાંસદ સુશીલ કુમાર મોદીએ સોમવારે જણાવ્યું કે દેશમાં સમલૈંગિક લગ્નોનો મુદ્દો પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સમલૈંગિક લગ્નો અંગે માત્ર કોર્ટ જ નિર્ણય કરી નથી લઈ શકતી. જો કે તે અંગે સંસદ અને સમાજમાં ચર્ચાની  જરૂર છે.  


શું કહ્યું સુશીલ કુમાર મોદીએ?


બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું બે ન્યાયાધીશ આ પ્રકારના સામાજીક મુદ્દાઓ અંગે નિર્ણય ન લઈ શકે. તેમણે કહ્યું કે આ આપણી સંસ્કૃતિ અને લોકાચારથી વિરૂધ્ધ છે, તેમણે કેન્દ્ર સરકાર સામે માગ કરી કે તેમણે આ મુદ્દો કોર્ટમાં મજબુતીથી ઉઠાવવો જોઈએ. તેમણે સમલૈંગિક લગ્નનો વિરોધ કરતા કહ્યું કે સમલૈંગિક વિવાહ દેશના વ્યક્તિગત કાયદાના નાજુક સમતોલનના વિનાસનું કારણ બનશે. પરિવાર, બાળકો અને તેમના ઉછેર જેવા મુદ્દા વિવાહની સંસ્થા સાથે સંબંધીત છે. જેમ કે દત્તક લેવું, ઘરેલું હિંસા, તલાક અને વૈવાહિક ઘરમાં રહેવા રહેવા માટે પત્નીનો અધિકાર છે. તેમણે જાપાનનું દ્રષ્ટાંત આપ્યું કે જાપાન  G7 ગ્રુપનો એકમાત્ર એશિયન દેશ છે. તેમ છતાં પણ તે દેશે સમલૈંગિક વિવાહનો વિરોધ  કર્યો છે. એશિયામાં તાઈવાન એકમાત્ર દેશ છે જેણે સમલૈંગિક વિવાહોને માન્યતા આપી છે. આપણા દેશમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એક જૈવિક પુરૂષ અને મહિલા વચ્ચે સંબંધ છે જે દેશના સદીઓ જુના સાંસ્કૃતિક અને સામાજિક મુલ્યો, રીતિ રિવાજો અને પરંપરાઓમાં તેના મહત્વને દર્શાવે છે. હિંદુ ધર્મ હોય કે મુસ્લિમ પર્સનલ લો જેવા કોઈ પણ વ્યક્તિગત વિવાહમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી કે સ્વિકારવામાં આવ્યા નથી. તેમણે ન્યાયતંત્રને પણ કહ્યું કે તેણે કોઈ પણ એવો નિર્ણય ન લેવો જોઈએ જે દેશની સંસ્કૃતિ, લોકાચાર અને માન્યતાની વિરૂધ્ધ હોય.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.