સુશીલ મોદીએ સમલૈંગિક લગ્નોને મુદ્દે ઉઠાવ્યા સવાલ, સંસદમાં કહ્યું, 'બે ન્યાયાધીશ લગ્નનો નિર્ણય ન કરી શકે'


  • Published By :
  • Published Date : 2022-12-19 21:48:12

ભાજપના રાજ્ય સભા સાંસદ સુશીલ કુમાર મોદીએ સોમવારે જણાવ્યું કે દેશમાં સમલૈંગિક લગ્નોનો મુદ્દો પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સમલૈંગિક લગ્નો અંગે માત્ર કોર્ટ જ નિર્ણય કરી નથી લઈ શકતી. જો કે તે અંગે સંસદ અને સમાજમાં ચર્ચાની  જરૂર છે.  


શું કહ્યું સુશીલ કુમાર મોદીએ?


બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું બે ન્યાયાધીશ આ પ્રકારના સામાજીક મુદ્દાઓ અંગે નિર્ણય ન લઈ શકે. તેમણે કહ્યું કે આ આપણી સંસ્કૃતિ અને લોકાચારથી વિરૂધ્ધ છે, તેમણે કેન્દ્ર સરકાર સામે માગ કરી કે તેમણે આ મુદ્દો કોર્ટમાં મજબુતીથી ઉઠાવવો જોઈએ. તેમણે સમલૈંગિક લગ્નનો વિરોધ કરતા કહ્યું કે સમલૈંગિક વિવાહ દેશના વ્યક્તિગત કાયદાના નાજુક સમતોલનના વિનાસનું કારણ બનશે. પરિવાર, બાળકો અને તેમના ઉછેર જેવા મુદ્દા વિવાહની સંસ્થા સાથે સંબંધીત છે. જેમ કે દત્તક લેવું, ઘરેલું હિંસા, તલાક અને વૈવાહિક ઘરમાં રહેવા રહેવા માટે પત્નીનો અધિકાર છે. તેમણે જાપાનનું દ્રષ્ટાંત આપ્યું કે જાપાન  G7 ગ્રુપનો એકમાત્ર એશિયન દેશ છે. તેમ છતાં પણ તે દેશે સમલૈંગિક વિવાહનો વિરોધ  કર્યો છે. એશિયામાં તાઈવાન એકમાત્ર દેશ છે જેણે સમલૈંગિક વિવાહોને માન્યતા આપી છે. આપણા દેશમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એક જૈવિક પુરૂષ અને મહિલા વચ્ચે સંબંધ છે જે દેશના સદીઓ જુના સાંસ્કૃતિક અને સામાજિક મુલ્યો, રીતિ રિવાજો અને પરંપરાઓમાં તેના મહત્વને દર્શાવે છે. હિંદુ ધર્મ હોય કે મુસ્લિમ પર્સનલ લો જેવા કોઈ પણ વ્યક્તિગત વિવાહમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી કે સ્વિકારવામાં આવ્યા નથી. તેમણે ન્યાયતંત્રને પણ કહ્યું કે તેણે કોઈ પણ એવો નિર્ણય ન લેવો જોઈએ જે દેશની સંસ્કૃતિ, લોકાચાર અને માન્યતાની વિરૂધ્ધ હોય.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.