પોષ મહિનાની સાતમે સૂર્ય પૂજા કરવાનો છે અનેરો મહિમા, મળે છે તમામ કષ્ટોમાંથી મૂક્તિ


  • Published By :
  • Published Date : 2022-12-26 17:28:11

હિંદુ ધર્મમાં સૂર્યની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પોષ મહિનામાં સૂર્યની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. એવું માનવામાં આવે છે કે પોષ મહિનામાં સૂર્યની ઉપાસના કરવાથી અનેક રોગો દૂર થાય છે. પોષ મહિનાના સુદ પક્ષની સાતમે સૂર્યની પૂજા અને અર્ઘ્ય આપવાનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં મળી આવે છે. 

Surya Ardhya: સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલો, રાખો આ વાતોનું ખાસ  ધ્યાન | TV9 Gujarati


ઉગતા સૂર્યની કરવી જોઈએ પૂજા 

આપણે ત્યાં ઉગતા સૂર્યને પૂજવાની પરંપરા વર્ષો જૂની છે. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કંકૂ, ચંદન, ચોખા પધરાવા જોઈએ. અને ધૃણિ સૂર્યાય નમ મંત્ર બોલી જળ અર્પણ કરવું જોઈએ. ઉપરાંત જેટલા બને એટલા આદિત્ય હૃદયસ્તોત્રનો પાઠ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ પણ કરવો જોઈએ. 


પૂજા કર્યા બાદ કરવું જોઈએ દાન 

એવું માનવામાં આવે છે કે તાંબાના લોટામાં પાણી પીવાથી બીમારીઓ દૂર થાય છે. આ દિવસે મીઠા વગરના ભોજનનું સેવન કરવું જોઈએ. દિવસ દરમિયાન જો ભૂખ લાગે તો ફળાહાર કરવો જોઈએ. સૂર્ય દેવને અર્ઘ્ય આપ્યા બાદ ભોજન, કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. ઉપરાંત ગાયને ચારો ખવડાવવો જોઈએ. 


માનસિક શાંતિની થાય છે અનુભૂતિ 

સૂર્ય દેવની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે ઉપરાંત સુખ સમુદ્ધિમાં પણ વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે પોષ મહિનાની સાતમે સૂર્યને જળ અર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે ઉપરાંત બુદ્ધિ પણ તેજ બને છે. આ દિવસે દાન કરવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.    




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.