સુરેન્દ્રનગરઃ ચોટીલાના ઝીંઝુડા ગામે પ્રેમી યુગલે મોતને વ્હાલુ કર્યું, યુવતીએ લખ્યું ' યુવકને હું ભગાડી લાવી છું....'


  • Published By :
  • Published Date : 2023-11-29 22:15:23

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર પ્રેમીયુગલના મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમીજોડાએ ઘરેથી ભાગીને અહીં આવી મોતને વ્હાલુ કર્યું હતું. આ મામલે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી છુટ્યા હતા. આ પ્રેમી યુગલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.  પોલીસે બંનેના પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.






રૂ.50ની નોટ પર લખી સ્યુસાઈડ નોટ


આ મામલાની જાણ થતાં ચોટીલા પોલીસ મથકના કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં યુગલ પાસેથી 50 રૂપિયાની ચલણી નોટ મળી આવી હતી, જેના પર લખાણ મળી આવ્યું હતું કે, યુવકને હું ભગાડી ગઈ છું. યુવક મને નથી ભગાડી ગયો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિશાલ પાટડીયા અને યુવતીની ઓળખ સપના સીસોણદા તરીકે થઈ છે, જેઓ સુલતાનપુર ગામમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.