સુરતના વરાછામાં કાદવ જ કાદવ, મેટ્રોની કામગીરીએ લોકોની મુશ્કેલી વધારી


  • Published By :
  • Published Date : 2023-02-13 20:03:22

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. જો કે તેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રની બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેના કારણે આસપાસની સોસાયટીઓમાં કાદવનો પ્રવાહ ધસી આવતા તે સોસાયટીઓના રહીશોની મુશ્કેલીઓ વધી ગઈ છે.   


સુરતના વરાછામાં લોકોની હાલત કફોડી


સુરતના વરાછાના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરીના કારણે સોસાયટીમાં કાદવના થર જામી ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. આ સોસોયટીઓના રહિશોએ તેમના ઘરમાં કાદવ ઘૂસતો રોકવા માટે ઈંટોની આડશો મુકવી પડી રહી છે. જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો છે એની પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન ક્ષતિ થઈ હોવાને કારણે પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવતો હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. લોકોએ સ્થાનિક વહીવટીતંત્રને રજુઆતો કરી પણ તંત્રએ લોકોની મુશ્કેલીનો હલ કરવા માટે અત્યાર સુધી કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.