Surat: જે ભગવાનની ધામધૂમથી પૂજા કરી તે ભગવાનની મૂર્તિની આવી દુર્દશા, દ્રશ્યોએ પહોંચાડી ભક્તોની લાગણીને ઠેસ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-09-25 16:51:03

ગણેશોત્સવની ઉજવણી આપણે હર્ષોલ્લાસ સાથે કરી. ભગવાનને આપણે ઘરે લાવ્યા, અનેક દિવસો સુધી તેમની ભક્તિ સાથે આરાધના કરી. અનેક લોકોએ ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ કરી દીધું છે. તો અનેક જગ્યાઓ પર હજી પણ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અનેક ભક્તોએ ગણપતિની પ્રતિમાનું વિસર્જન પણ કરી દીધું છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. ભક્તોની લાગણી દુભાયએ પ્રકારે ગણપતિ પ્રતમિાનું વિસર્જન કરવામાં આવ્યું છે.સુરતના પાલનપુર પાટિલ કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી હતી. 


કેનાલમાં કરવામાં આવ્યું મૂર્તિ વિસર્જન 

આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છે કે કામ પતે એટલે લોકો માણસને ભૂલી જાય છે. ગરજ હોય ત્યારે લોકો આપણને યાદ કરે છે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ આ વસ્તુ. ત્યારે કદાચ આ વિચાર ભગવાનને પણ આવ્યો હશે જ્યારે તેમની પ્રતિમાની આવી દુર્ઘશા થાય તો. ગણપતિના ભક્તો અનેક વખત ગણેશજીને પોતાના ઘરે લાવતા હોય છે. ગણેશની પધરામણી ઘરે અથવા તો સોસાયટીમાં કરાવતા હોય છે. કોઈ એક દિવસ માટે બાપ્પાને ઘરે લાવે છે તો કોઈ ત્રણ કે પાંચ દિવસ માટે દાદાને ઘરે લઈને આવે છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને દુખી કરી શકે છે. સુરતના પાલનપુર પાટિયા કેનાલમાં ગણપતિ બાપ્પાના મૂર્તિનું વિસર્જન કરવા આવ્યું હતું.



દરેક વખતે આવા દ્રશ્યો જોવા મળે છે....! 

ગણેશોત્સવને લઈ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. મૂર્તિનું વિસર્જન તળાવ, નહેર કે નદીમાં કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. કેનાલમાં, નહેરમાં પ્રતિબંધ હોવા છતાંય સુરતમાં અનેક ભક્તોએ મૂર્તિનું વિસર્જન કેનાલમાં કરી જાહેરનામાનો ભંગ કર્યો છે. પરંતુ તો પણ અનેક લોકોએ ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો છે. આવા દ્રશ્યો જોઈ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. મહત્વનું છે કે આવા દ્રશ્યો દરેક વખત, દરેક ગણોશોત્સવમાં જોવા મળતા હોય છે. ગણેશોત્સવના અંતિમ દિવસે તો આના કરતા પણ વધારે મૂર્તિઓ આવી હાલતમાં જોવા મળવાની છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.