સુરત પોલીસનો સપાટો,10 દિવસમાં 103 ગુના નોંધીને 111 વ્યાજખોરોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-10 15:26:20

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ એ હદે વધી ગયો છે કે લોકો મોતને વ્હાલુ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વ્યજખોરોના આતંકની ફરિયાદો પણ વધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વ્યાજખોરોને ચેતવણી આપતું નિવેદન કર્યું છે. વ્યાજખોરોના વધતા આતંક સામે પોલીસ પણ હવે એક્સનમાં આવી છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


સુરતમાં વ્યાજખોરોની ધરપકડ


સુરત પોલીસે વ્યાજખોરો સામે કડક હાથે કામ લેતા છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે 26 વોન્ટેડ જાહેર કરાયાં છે. પાંચથી 15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે વ્યાજખોરો સામેની ડ્રાઈવ આમ તો 2022ના ઓક્ટોબર મહિનાથી ચાલુ છે. પરંતુ લોકો સામે નહીં આવતાં છેવટે સરકાર તરફથી આ કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી હતી. 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 53 કેસ નોંધવામાં આવ્યા હતાં અને 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.