Surat પોલીસે વકીલનો વેશપલટો કરી 31 વર્ષથી ફરાર આરોપીને પકડી લીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 11:46:45

ગુજરાત પોલીસે વકીલનો વેશપલટો કર્યો અને 31 વર્ષથી ફરાર રહેલા રીઢા ગુનેગારને ઝડપી પડ્યો, જવાનીમાં ગુનાઓ કર્યા અને હવે વૃદ્ધાવસ્થામાં જેલ ભેગો થશે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલા આર્મ એક્ટના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પડ્યો છે. આ આરોપી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં પણ હથિયારો સપ્લાયના ગુનામાં પાંચ વર્ષથી વોન્ટેડ હતો. ત્યારે આ રીઢા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેની કોર્ટ બહારથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડવા વકીલનો વેશપલટો કરી વોચ રાખી હતી. કોર્ટમાં હાજરી આપવા આવતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી 40 વર્ષથી હથિયારો બનાવી દેશભરમાં વેચતો હતો.

પોલીસને આરોપીની જાણકારી મળતા જ પહોંચી ગઈ મહારાષ્ટ્ર 

સુરત ક્રાઈમ બ્રાન્ચના કસ્ટડીમાં રહેલા વ્યક્તિનું નામ મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા છે. જેની ઉંમર 70 વર્ષની છે સુરત ક્રાઈમ બ્રાંચને ICGS પોર્ટલ પરથી આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા વિશે માહિતી મળી હતી કે, આરોપી આર્મ્સ એક્ટ કેસમાં મહારાષ્ટ્ર શહાદા કોર્ટમાં આવવાનો છે. માહિતીના આધારે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની શહાદા કોર્ટ નજીક પહોંચી હતી અને કોર્ટ તારીખે આવેલા આરોપી મોહન સિંહની ધરપકડ કરી હતી.


1993થી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો! 

70 વર્ષીય મોહન સિંહ ડાબર સામે 1993માં નોંધાયો હતો કેસ અને પછી આટલા વર્ષોથી આ આરોપી ફરાર હતો. છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહનસિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના શહાદામાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એક પેથાણ પોલીસ સ્ટેશનમાં અને કુલ મળીને 31 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યા છે. આ સ્ટોરી પરથી શીખવા મળે છે કે જવાનીના જોશમાં થયેલી ભૂલો આખી ઝીંદગી બરબાદ કરી નાખતી હોય છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.