Surat : ટ્રાફિકના પાઠ શીખવાડનાર પિયુષ ધાનાણીએ સર્જ્યો અકસ્માત! યુવક ઈજાગ્રસ્ત, લોકોએ તેમની પાસેથી કબૂલાત કરાવી કે.. જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-14 11:59:12

પિયુષ ધાનાણીની ચર્ચા થતી હોય છે જે લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડતા હોય છે.. ટ્રાફિકના નિયમોનું જે પાલન નથી કરતા તેમને શિખામણ આપતા હોય છે.. તેમના અનેક વીડિયો આવા સામે આવતા રહે છે.. પિયુષ ધાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડવા વાળા પિયુષ ધાનાણીને કારણે અકસ્માત સર્જાયો છે..! આ ઘટના થયા બાદ લોકોએ તેમનો ઉધડો લીધો હતો અને તેમની પાસેથી કબૂલાત કરાવી હતી કે આ અકસ્માત તેમણે સર્જ્યો છે..

પિયુષ ધાનાણી પોતે બન્યા અકસ્માતનું કારણ!

લોકોને ટ્રાફિક જાગૃતિ શીખવાડતાં પિયુષ ધાનાણી પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. સુરતના કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર તેઓ ઉભા રહે છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડે છે.. પરંતુ આ વખતે પિયુષ ધાનાણી જ પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. એટલે લોકોએ એમને પકડીને ઝાટક્યા.. અકસ્માત થયો તે બાદ ત્યાં હાજર લોકોએ તેમને પકડ્યા હતા અને તેમની પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું.. 



જ્યારે જમાવટની ટીમે કર્યો હતો પિયુષ ધાનાણીને ફોન

સુરતના રિંગ રોડ પર પિયુષ ધાનાણી એક બસને રોંગ સાઈડ જતાં અટકાવવા ભાગ્યા અને એક યુવકની બાઇક આગળ આવી ગયા જેના કારણે એ યુવકને ગંભીર ઈજા થઈ અને પછી લોકોએ એમના ફોનથી જ લાઈવ કરાવી આ કબૂલાત કરાવી પિયુષ ધાનાણી વિડીયોમાં બોલી રહ્યા છે મારી ભૂલ છે અને હું એ યુવકને એના નુકશાનના પૈસા આપવા તૈયાર છું. આ વીડિયો સામે આવ્યા બાદ જમાવટની ટીમે પિયુષ ધાનાણીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની સાથે વાત થઈ શકી ના હતી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.