સુરતમાં રૂ.400 કરોડના ખર્ચે તૈયાર થયેલો આઉટર રીંગરોડ ધોવાયો, અઠવાડિયા પહેલા જ મુખ્યમંત્રીએ કર્યું હતું ઉદ્ઘાટન


  • Published By :
  • Published Date : 2023-07-19 22:03:27

આજે ગુજરાતના વિકાસની વાત કરવી છે જે વિકાસને એક સમયે રોજ કોંગ્રેસ યાદ કરતી હતી અને કહેતી હતી કે વિકાસ ગાંડો થયો છે એ વિકાસ હવે કોઈ યાદ નથી કરતું, પણ અત્યારે અમુક બનાવોના કારણે એ વિકાસને યાદ કરવો છે કારણ કે સુરતના બનાવથી ખરેખર લાગી રહ્યું છે કે વિકાસ ગાંડો થઈ ગયો છે. સુરતમાં નવનિર્મિત આઉટર રીંગરોડ વરસાદ શરૂ થતાની સાથે જ બે જ દિવસમાં ધોવાઈ ગયો અને રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. આ મુદ્દે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ સમાચાર સરકારના કાન સુધી પહોંચવા જોઈએ અને લોકો સુધી પણ પહોંચવો જોઈએ જેથી ખબર પડે કે સુરતમાં વિકાસના નામે કેવા કાંડ થઈ રહ્યા છે. 


આઉટર રીંગ રોડનો કચ્ચરઘાણ


સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં હમણા છ દિવસ પહેલા જ આઉટર રીંગ રોડ બનાવવામાં આવ્યો હતો. રાજાશાહીના જમાનામાં જ્યારે ભગવત સિંહજી મહારાજ અને કૃષ્ણકુમાર સિંહજી મહારાજના સમયમાં રોડ બનતા હતા તે દાયકાઓ સુધી ચાલતા હતા અને હાલના સમયમાં છ દિવસ પહેલા બનાવેલા રોડમાં પણ ખાડા થઈ જાય છે અને કપચીઓ નીકળી જાય છે. ખબર છે આવું શા માટે થાય છે કારણ કે પહેલાના સમયમાં પ્રજાનું કલ્યાણ કરવાની લાગણી હતી અને હવે મારા ઘરનું કલ્યાણ કરવાની રાજનીતિ ચાલે છે, પછી એ કોઈ પણ રાજકીય પાર્ટી હોય. સુરતના મામલામાં થયું છે કંઈક એવું કે  છ દિવસ પહેલા બનેલા રોડનો કચ્ચરઘાણ નીકળી જતા સુરતના જાગૃત નાગરિકે આમ આદમી પાર્ટીના નેતા મહેશ અણધણ અને કોર્પોરેટર રચનાબેન હીરપરાને ફરિયાદ કરી હતી કે છ દિવસ પહેલા જ રોડ બન્યો હતો અને તેના અત્યારે ઠામ ઠેકાણા નથી, જાહેર બાંધકામ સમિતિના સભ્ય મહેશ અણધણ અને કોર્પોરેટર રચનાબેન હીરપરાએ રોડની વિઝિટ લીધી હતી અને સમગ્ર મામલે કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી. 


રીંગરોડમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર


આમ આદમી પાર્ટીના મહેશ અણધણે આક્ષેપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ અને ભ્રષ્ટ સત્તાધીશોએ રીંગરોડમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ મામલે મહેશ અણધણે સુરત કમિશનર બંછાનિધિપાનીને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને પીએમસી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માગ કરી છે તો હવે આ મામલે શું થશે એ જોવાનું રહેશે. એક રીતે જોવા જઈએ તો આ વીડિયો જોઈને લોકોએ મનમાં વિચારી લીધું હશે કે સુરતમાં રોડ તૂટ્યો છે તો મારે શું પણ ભાઈ આ લોકોના રૂપિયે રોડ બન્યો હતો જે ખરેખર ટકવો જોઈએ વર્ષો સુધી પણ અફસોસ છ દિવસમાં જ ખાડે ખાડા થઈ ગયા હતા. તમારા ખિસ્સાના રૂપિયા તમે ભરોસાથી રાજ્યની સેવા માટે આપો છો પણ તે ક્યાં જાય છે તેનો પણ હિસાબ માગવો જોઈએ જો આ કેસમાં ગેરરીતિ થઈ હોય તો કોન્ટ્રાક્ટરને જ દંડ ફટકારવો જોઈએ અને તપાસ કમિટી બેસાડીને કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. 


પ્રજાના ટેક્સના પૈસાનું ધોવાણ


આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણ અને રચના હિરપરા આઉટર રીંગરોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાની વાત કરતા તેમણે રીંગરોડની મુલાકાત લીધી હતી. મહેશ અણઘણે જણાવ્યું કે, હજી તો એક સત્તા પણ પૂર્ણ નથી થયું અને રસ્તાનું ધોવાણ જે રીતે થયું છે, તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. માત્ર કમલમ બનાવવા માટે આ પ્રકારના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે ધોવાણ થવું એક લોકો સાથે અન્યાય કરવા બરાબર છે. અમારી માંગ છે કે જે પણ એજન્સીઓ અને માટે જવાબદાર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!