Suratના ધારાસભ્ય Kumar kananiએ લખ્યો પત્ર, આણંદ પોલીસ પર લગાવ્યો આ આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-07 10:00:51

સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનું નામ જ્યારે પડે ત્યારે મનમાં લેટર બોમ્બ શબ્દ યાદ આવી જતો હોય છે. પત્રો લખી ધારાસભ્યએ અનેક વખત તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિવિધ મુદ્દે તેમણે પત્ર પણ લખ્યો છે. ત્યારે વધુ એક પત્ર તેમણે પોલીસકર્મીઓને લઈ હર્ષ સંઘવીને લખ્યો છે. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોના વાહનોને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. તોડબાજીના હેતુથી વાહનનો રોકવામાં આવે છે. આણંદના 15થી 20 કર્મીઓ સુરત પાસિંગની ગાડીઓ રોકે છે તેવા આરોપ ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના પત્રમાં લગાવ્યા છે. 

Image

સુરતથી સૌરાષ્ટ્ર જતી બસોને પોલીસનું ટોળું રોકે છે!

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. પોલીસ પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવે છે. સામાન્ય લોકોને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા આપણે જોયા હશે પરંતુ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આણંદ પોલીસ પર ગંભીર આરોપ લગાવતો પત્ર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે. પત્ર લખી ભાજપના જ ધારાસભ્યએ અનેક વખત કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉપરાંત લોકોને પડતી મુશ્કેલીઓની વાત પણ તેમના પત્રમાં જોવા મળતી હોય છે. ત્યારે વધુ એક પત્ર તેમણે લખ્યો છે જેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે વાસદ ટોલનાકા પાસે સુરત પાસિંગ ગાડીઓને રોકી વાહનચાલકોને હેરાન કરવામાં આવે છે. સુરતથી સૌરાષ્ટ્ર જતી ગાડીઓને રોકવામાં આવે અને વાહનચાલકને હેરાન કરવામાં આવે છે. 15થી 20ના ટોળામાં પોલીસ કારચાલકને રોકે છે.


સુરતના ધારાસભ્યએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ 

રસ્તા પર વાહન લઈને નિકળીએ ત્યારે પોલીસ દ્વારા લોકોને હેરાન કરવામાં આવે છે તેવો અનુભવ આપણામાંથી અનેક લોકોએ કર્યો હશે. વાહનને રોકવામાં આવે છે, ડોક્યુમેન્ટ માગવામાં આવે છે અને તોડપાણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અનેક કિસ્સાઓમાં લોકો મેમો ન ભરવો પડે તે માટે તોડપાણી કરી દેતા હોય છે. ગુજરાતમાં જ એક જિલ્લામાંથી બીજા જિલ્લા પાસિંગની કાર જાય છે તો તેને અનેક વખત રોકવામાં આવતી હોય છે પોલીસ દ્વારા. વાહનનું ચેકિંગ કરવામાં આવે છે ઉપરાંત ડોક્યુમેન્ટ વગેરેની માગણી કરવામાં આવે છે. કદાચ તમને પણ આવો અનુભવ થયો હશે કોઈ વાર. ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આણંદ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. 


પત્રમાં કઈ કઈ વાતોનો કરાયો છે ઉલ્લેખ?

પત્રમાં તેમણે લખ્યું છે કે વાસદ ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતા સુરતના લોકોની કાર પોલીસ દ્વારા ખોટી રીતે રોકવામાં આવે છે. આણંદ જિલ્લા પોલીસ 15-20 લોકોના ટોળામાં ઉભા રહી કારને ઉભી રાખે છે. ચેકિંગના બહાને ડોક્યુમેન્ટની માગણી કરવામાં આવે છે. તેવા આક્ષેપો પણ કર્યા છે કે તોડબાજીના હેતુસર વાહનમાલિકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. ઉપરાંત વાહનચાલક મોબાઈલ પર વાત કરવા માગે તો પોલીસ ફોનને પણ જપ્ત કરી લે છે. ત્યારે આ બાબતનું જલ્દી નિરાકરણ આવે તે માટે કુમાર કાનાણીએ પત્ર લખી રજૂઆત કરી છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!