ગુજરાતને સ્મારકની નહીં જીંદગી બચાવી શકે તેવી ઉંચી સીડીની જરૂર છે...


  • Published By :
  • Published Date : 2022-11-03 15:42:55

24 મે 2019ના દિવસે સુરતના પરિવારોના 22 જેટલા નાના બાળકોના મોત થઈ ગયા હતા. કોઈકનો દિકરો ગયો તો કોઈકની દિકરી ગઈ. સુરતની તક્ષશિલા આર્કેડ ભડકે બળી રહી હતી ત્યારે આ કરુણ ઘટનાનો પણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં લાભ કેવી રીતે લેવો તેવા વિચારો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત થઈ રહી હતી ત્યારે કોઈ નિર્ણય ના લેવાયો જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી કે તરત જ તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત કરી દીધી છે..... 

Surat Gujarat takshashila arcade massive fire 22 students death two years  News18 Gujarati

ચૂંટણી સમયે સુરત મેયરને તક્ષશિલા કાંડ યાદ આવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે તેની વચ્ચે મતદારોમાં કેમ વધારો કરવો તે પણ રાજકીય પક્ષોએ વિચાર કરવાનું શરૂ કરી દીઘું છે. સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા મારફતે જાહેરાત કરાઈ છે કે સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની યાદમાં સ્મારક બનાવવામાં આવે. તક્ષશિલા એ જ જગ્યા છે જ્યાં 24 મે 2019ના ગોજારા દિવસે આગ લાગતા 22 વિદ્યાર્થીઓનાં મૃત્યું થયાં હતા. ફૂલ જેવા બાળકો પોતાના ભવિષ્યના સપના જોવા માટે ટ્યૂશન ક્લાસમાં ભણી રહ્યા હતા અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના ગેરકાયદેસર ટ્રાન્સફોર્મરના કારણે આગ લાગે છે. આ આગ સૌથી ઉપરના માળ પરના આર્ટ અને ક્રાફ્ટના ક્લાસના શેડમાં લાગે છે. જેના પરિણામે આગ વધારે તિવ્રતાથી પ્રસરી અને 22 બાળકોનું કૂદવાથી, ગૂંગળામણથી અને ભડથું થઈને મોત થયું હતું.  

તક્ષશિલાને સ્મારક જાહેર કરાશેઃ સુરત મેયર 

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે અને સુરતના મેયરે જાહેરાત કરી છે. મેયર હેમાલી બોઘાવાલાએ જાહેરાત કરી હતી કે તક્ષશિલાને સ્મારક જાહેર કરવામાં આવશે. સુરતના લોકોનું આ મામલે માનવું છે કે પાટીદારોને મનાવવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત થઈ રહી હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો ના હતો અને ચૂંટણી નજીક આવી એટલે તરત નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. 

Takshashila arcade fire SMC begins demolition drive, razes illegal dome  structure | India News,The Indian Express

તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર ફાઈટરો ત્યાં પહોંચે છે. ફાયર ફાઈટરોએ બચાવ કામગીરી માટે અંદર પહોંચે તેવી સીડી તેમના વાહનમાં ખોલી પરંતુ તે સીડી ખુલી જ ના હતી. જોત જોતામાં આગ પ્રસરે છે અને ત્યારબાદ જે થયું તેણે ગુજરાતના સત્તાધીશો પર કલંક લગાવી જ દીધો છે. ત્યાર બાદથી અત્યાર સુધી સુરતના સત્તાધીશોને તક્ષશિલા કાંડ ભૂલાઈ ગયો હતો. અચાનક ચૂંટણી નજીક આવતા કરુણ પરિસ્થિતિનો વોટમાં લાભ લેવા સ્મારકની જાહેરાત કરી દેવામાં આવી છે. અમેં સવાલ પૂછીએ છીએ કે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા સૂતી હતી કે બદામ ખાવાનું ભૂલાઈ ગયું હતું અને તક્ષશિલા કાંડ ભૂલાઈ ગયો હતો? ચૂંટણી નજીક આવતા જ આવા નિર્ણયો યાદ આવે છે? અત્યાર સુધી માગણીઓ કરવામાં આવી રહી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાએ કોઈ ધ્યાન ના દીધું હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યારે મતનો લાભ ખાટવા માટે તરત નિર્ણય કરી દેવામાં આવ્યો છે કે તક્ષશિલાને સ્મારક જાહેર કરવામાં આવે. ગુજરાતને એવી ઉંચી સીડીની જરૂર છે જેનાથી આવી પરિસ્થિતિમાં લોકો પોતાનો જીવ બચાવીને બહાર નીકળી શકે. જો આવા નિર્ણયો લેવામાં આવશે તો તક્ષશિલા જેવો કોઈ કાંડ ગુજરાત કે દેશમાં નહીં થાય. ચૂંટણી નજીક આવતા જાહેરાત કરાઈ છે તેનો મતલબ પાટીદારોના મત મેળવવા છે. નિર્ણય સારો છે પરંતુ નિર્ણય લેવા પાછળનો આશય સારો નથી તેવું સુરતના લોકોનું માનવું છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!