સુરત સામૂહિક આપઘાત કેસ: ચાર સભ્યોના મોત બાદ દીકરીએ કર્યો આપઘાત કરવાનો પ્રયાસ, સારવાર માટે હોસ્પિટલ ખસેડી પરંતુ હાલત નાજુક


  • Published By :
  • Published Date : 2023-06-10 17:51:55

થોડા સમય પહેલા સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. રત્નકલાકારે પરિવારના ચાર સભ્યો સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચારેય ચાર સભ્યોના મોત થઈ ગયા છે. ત્યારે પરિવારમાં એક દીકરો અને દીકરી જીવતા હતા પરંતુ આજે દીકરીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે પરંતુ મળતી માહિતી અનુસાર તેની હાલત હાલ ગંભીર છે. 



પરિવારના ચાર સભ્યોએ કરી હતી આત્મહત્યા!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જીવનથી કંટાળી લોકો મોતને વ્હાલું કરવાનો નિર્ણય લેતા હોય છે. આપઘાત કર્યા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમામ લોકોના મોત થઈ ગયા છે. ત્યારે બે સંતાનો બહારગામ ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ આજે દીકરીએ પણ આત્મહત્યા જેવું પગલું ભરી લીધું છે. તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.      


           

શું હતો સમગ્ર મામલો?      

જે પરિવારે થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી તે કામની શોધમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાથી સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે બે લોકોની સારવાર ચાલતી હતી. પરંતુ થોડા સમય બાદ બધા સભ્યોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે આજે દીકરીએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.