Surat: માનવભક્ષી શ્વાને માસુમ બાળકી પર કર્યો હુમલો, બાળકીને ગળાથી દબોચી મારી નાખી, પિતાએ એકની એક દીકરી ગુમાવી!


  • Published By :
  • Published Date : 2024-02-06 17:05:41

રખડતા શ્વાનની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ માનવભક્ષી શ્વાન કોઈના પર હુમલો કરે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. સુરતથી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં 4 વર્ષની નાનકડી દીકરી અમસ્તા રમતી હતી અને કોઈએ કલ્પના પણ ના કરી હોય એમ અચાનક 8 થી 10 માનવભક્ષી શ્વાન આવ્યા અને એ દીકરીને ફાડી કાઢી. કેટલી કરૂણ અને સાથે જ ગંભીર આ ઘટના કહેવાય. 


4 વર્ષની બાળકી પર 10 જેટલા શ્વાને કર્યો હુમલો 

સુરતના પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં જ્યારે  4 વર્ષની માસૂમ બાળકી ગાયોને નાખેલા ચારામાંથી શેરડી લેવા માટે ગઈ અને 8થી 10 માનવભક્ષી શ્વાનો બાળકી પર તૂટી પડ્યા. બાળકીને ગળાથી દબોચી મારી નાખી. માતા-પિતાએ કામ પરથી ઘરે આવીને શોધ કરી તો 4 વર્ષની બાળકી ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં મળી આવી તરત એને હોસ્પિટલ લઈ ગયા પણ એનો જીવ બચાવી શક્યા નહીં અને માતા-પિતાએ પોતાની એકની એક દીકરી ગુમાવી દીધી. બાળકીનું નામ સુરમિલા હતું.


જ્યારે પિતા કામ પર જાય છે ત્યારે...

જે બાળકીનું મોત થયું છે તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે, કાળુભાઈ દેવચંદ અરડ હાલ પાંડેસરા ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા અને એક 4 વર્ષની દીકરી સાથે રહેતા હતા. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં કામ કરતાં હતા. કરૂણ વાત તો એ છે કે કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેમનાં બે સંતાનને સાથે લઈ અને નાના બે છોકરાઓને ઘરે મૂકીને જાય. એટલે એમને હેરાન ન થવું પડે. પણ સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યાં હતાં. ઘરની પાસે ઝાડીઓમાં ગાયને ખાવા માટે ચારો નાખવામાં આવે છે. તે ચારમાં સુરમિલાને શેરડી દેખાઈ અને એ લેવા એ જેમજ ગઈ થી 10 કૂતરાઓએ સુરમિલાના ગળા ઉપર હુમલો કરી તેને દબોચી લીધી.



સુરતમાં પ્રતિદિન 30થી 40 ડોગ બાઈટિંગના નોંધાઈ રહ્યા છે કેસ  

આજથી એક વર્ષ પહેલા જ હાઇકોર્ટે રખડતાં શ્વાનને લઈને તંત્રને જબરદસ્ત ખખડાવ્યા હતા પણ ખેર આ તંત્ર હજુ ઊંઘતું ઝડપાયું છે. હાલ આજના દિવસે પણ સુરતમાં રોજના 35થી 40 કેસ ડોગ બાઈટના નોંધાય છે અને તેમ છતાંય કોઈને કંઈ ફરક નથી પડતો. કેમનો પડે કારણકે એમના વાલસોયા થોડી ગયા છે. સાથે જ હાઇકોર્ટએ જે લોકોને પ્રાણી પ્રેમી છે એમને પણ ટકોર કરી કીધું હતું કે બહુ લાગણી હોય તો ઘરે લઈ જઈ ખવડાવો.

 

બેભાન અવસ્થામાં સુરમિલા કૂતરાઓ પાસે પડી હતી!

આ કરૂણ ઘટના બાદ પિતાએ જ્યારે ઘટનાનું વિવરણ કર્યું એ વધારે કરૂણ હતું .પિતા કાળુભાઈએ કહ્યું કે હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમિલા દેખાઈ નહીં એટલે હું એને શોધવા ગયો. સુરમિલા ત્યાં ઝાડીમાં પડેલી હતી. સુરમિલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી. મેં કૂતરાઓએ પથ્થર મારીને ભગાવ્યાં અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. એક બાપ જ્યારે એની ફૂલ જેવી બાળકીને આમ પડેલી જોવે ત્યારે એની હાલત શું હોય એ કલ્પના પણ ન કરી શકાય... 


આંકડાઓ બદલાય છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં!

એક વર્ષ પહેલા જ્યારે હાઇકોર્ટ સુધી રકડતા શ્વાનનો કેસ પહોંચ્યો ત્યારે પણ આજ પ્રશ્નો હતા. માત્ર આંકડાઓ અલગ હતા. આંકડાઓ બદલાતા રહ્યા પણ સ્થિતિ હજુ એજ છે રસ્તા પર પહેલા રખડતાં ઢોરનો ત્રાસ હવે જ્યાં જાવ ત્યાં રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. આ બધા રખડતાં મોત છે એનાથી બચીને રહેજો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!