સુરતના માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવી વિરોધ નોંધાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 17:09:21

ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરી રહ્યો છે. જે અંતર્ગત આજે રાજ્યભરમાં માલધારી સમાજે દૂધ ન વેચવાની જાહેરાત કરી હતી. આજે માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ તેમજ ચાની કિટલીઓ પર દુધનું વેચાણ કર્યું ન હતું.


સુરતનાં નાવડી ઓવારા ખાતે માલધારીઓ ઉમટ્યા


જો કે આ જાહેરાતના સૌથી વધુ પડઘા સુરતમાં પડ્યા હતાં સુરતનાં માલધારીઓએ આજ દૂધ વિતરણ કર્યું ન હતું.  ઢોર નિયંત્રણ કાયદાને લઈ ઉગ્ર વિરોધ વિરોધ કરતા માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવી દીધું હતું. મોટી સંખ્યામાં માલધારીઓ નાવડી ઓવારે એકઠા થયા હતા. તેઓએ નાવડી ઓવારા ખાતે 300 લિટર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. આમ સુરતમાં માલધારીઓએ દૂધ વહાવીને વિરોધ કર્યો છે. માલધારીઓ દ્વારા આજે દૂધ નહીં વેચવાનું એલાન કરવામાં આવ્યુ છે. સુરતના ડભોલી-જહાંગીર પુરા બ્રિજ પરથી દૂધ તાપી નદીમાં ઢોળવામાં આવ્યું હતું. વહેલી સવારે માલધારીઓ એ કેનમાંથી તાપી નદીમાં દૂધ ઢોળ્યું હતું. દૂધનો નાશ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. જોકે, સાધુ સંતો દ્વારા દૂધ ઢોળવાની મનાઈ ફરમાવી છે.


ગુજરાતના માલધારીઓ આજે તા. 21 અને બુધવારના રોજ અણુંજા પાડશે. એટલે કે, આ દિવસે ડેરીઓમાં, મંડળીઓમાં, વાડામાં ક્યાંય દૂધ ભરાવવાનું કે વેચવાનું નહી એવું માલધારી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.