Surat : નશાની હાલતમાં City Driverએ બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રને લીધા અડફેટ! Accidentમાં થયું પિતાની સામે થયું પુત્રનું મોત, પરિવાર આઘાતમાં


  • Published By :
  • Published Date : 2024-01-13 11:02:23

રાજ્યમાં વાહન ચાલકો, બસ ચાલકો, ટ્રક ચાલકો બેફામ બન્યા છે... સીટી બસ હોય હોય કે પછી એસટી બસના ડ્રાઈવરો હોય એ લોકો એવી રીતે ડ્રાઈવિંગ કરતા હોય છે જેમ રસ્તો તેમના બાપનો હોય. બેફામ રીતે બસને હંકારતા ડ્રાઈવરોને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. સુરતથી બસની અડફેટે આવતા લોકોના મોત થતા હોય તેવા કિસ્સાઓ અનેક વખત બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત સિટી બસને કારણે સર્જાયો છે અને પોતાની નજરોની સામે પિતાએ પોતાના પુત્રને ગુમાવ્યો.    


11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો અકસ્માતે લીધો ભોગ 

અકસમાતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારના સભ્યોના મોત અકસ્માતને કારણે થયા છે. અનેક અકસ્માતો તો એવા હોય છે જેમાં પરિવારના સભ્યની સામે જ પરિવારનો સભ્ય અંતિમ શ્વાસ લેતો હોય છે. અનેક કિસ્સાઓમાં તો ઘટના સ્થળ પર વ્યક્તિ મોતને ભેટે છે. ઘરેથી નિકળેલો વ્યક્તિ ઘરે પરત ફરશે કે નહીં તે પણ જાણતા નથી. ત્યારે એક ભયંકર અકસ્માત સુરતમાં સીટી બસને કારણે સર્જાયો છે. સીટી બસની અડફેટે આવતા એક પિતાએ પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે.     


નશાની હાલતમાં બસ ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત!

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના બમરોલી વિસ્તારમાં આજે વહેલી સવારે બની છે. 120 ફૂટ રોડ પર સિટી બસે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા જેમાં પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.  સવારે ધોરણ 11માં ભણતા પુત્રને પિતા શાળાએ મૂકવા જઈ રહ્યા હતા તે વખતે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર પિતા પુત્રીનું વાહન આશાપુરા સોસાયટી પાસે સ્લીપ થઇ ગયું હતું. વાહન સ્લીપ થઈ જતા તે નીચે પડી ગયા. પાછળથી બ્લૂ બસ આવી રહી હતી. આ બસ ડ્રાઇવરે બ્રેક મારી નહીં અને આ લોકો પર ચડાવી દીધી. એવી પણ માહિતી સામે આવી છે કે ડ્રાઈવર નશામાં હતો. સ્થાનિકોએ ડ્રાઈવરને પકડી પાડ્યો છે તેવી માહિતી પણ સામે આવી છે. 


ઓવરસ્પીડિંગને કારણે થાય છે અનેક વખત અકસ્માત 

મહત્વનું છે કે અનેક બસ ડ્રાઈવરો બેફામ બનીને, નશામાં ગાડી ચલાવતા હોય છે જેને કારણે અકસ્માત સર્જાય છે. રસ્તાને બાપનો બગીચો સમજીને લોકો બેઠા હોય છે. ઓવરસ્પીડિંગમાં ન માત્ર બસ ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે પરંતુ અનેક વાહનો વાળા ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. અનેક વખત તો એવું જોવા મળ્યું છે કે નાના વાહનો પણ ફૂલ સ્પીડમાં ચલાવવામાં આવે છે અને અકસ્માત સર્જાય છે. વાહન ચાલકના બેદરકારીને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવો પડે છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!