Surat : એક જ દિવસમાં થયા પાંચ યુવાનોના મોત! Heart Attackને કારણે મોત થયા હોવાનું અનુમાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-25 10:51:24

એક તરફ કોરોનાના કેસમાં ફરી એક વખત કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ હાર્ટ એટેકના કેસમાં પણ વધારો સતત થઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત તોળાઈ રહ્યો છે. હાર્ટ એટેકમાં ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ થઈ રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓના મોતના કિસ્સા આપણી સામે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે સુરતમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 20થી 40 વર્ષ વયની વચ્ચે લોકો અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા છે. તેમના મોત હાર્ટ એટેકને કારણે થયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


20થી 30 વર્ષીય યુવાનોને આવી રહ્યો છે હાર્ટ એટેક 

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ સાંભળવો સામાન્ય બની ગયો હતો ત્યારે હવે હાર્ટ એટેક એક એવો શબ્દ બની ગયો છે પ્રતિદિન સાંભળવા મળી રહ્યો છે. કોરોના બાદ હૃદયહુમલાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. યુવાનોને કાળ ભરખી રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં 20થી 30 વર્ષીય યુવાનો મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે.


સુરતમાં પાંચ લોકો અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા

પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સમગ્ર ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે.  હજી સુધી અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે. ત્યારે સુરતમાં એક જ દિવસે પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા! 

છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા ઢળી પડે છે તો કોઈ વાત કરતા કરતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધતા હાર્ટ એટેકને કારણે યુવાનોમાં ચિંતા વધી રહી છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે કોરોના વેક્સિનને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.