Surat : બોમ્બે માર્કેટમાં લાગી ભીષણ આગ, આગ લાગવાથી સર્જાઈ અફરા-તફરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-03 13:25:38

આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. 500 જેટલી દુકાનો ધરાવતા આ માર્કેટમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવા પ્રયાસ કર્યો. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આ આગને કારણે જાનહાની થઈ નથી. આગ પર કાબુ મેળવી લેવાતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 



માર્કેટમાં આગ લાગતા સર્જાઈ અફરા-તફરી 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સુરતની જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. મહત્વનું છે કે આ બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે આ બજારમાં આગ લાગતા વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો આવેલી છે. 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને પગલે આગ કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગતાં સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 



મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ખરીદી માટે 

માર્કેટમાં લાગેલી આગ જોતજોતામાં એકદમ વિકરાળ બની ગઈ હતી. સવારે 9 વાગતાં જ માર્કેટમાં હજારોની સંખ્યમાં વેપારીઓ કાપડની ખરીદી અને વેચાણ માટે આવતાં હોય છે, ત્યારે અચાનક જ આગ લાગતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. મહત્વનું છે કે તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે 10 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી હતી. લગભગ અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.  





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.