સુરત: હજીરા-ગોથાણ નવી રેલવે લાઇનના વિરોધમાં 14 ગામોના ખેડૂતો મેદાને, “જાન દેગે પર જમીન નહિ દેંગે”


  • Published By :
  • Published Date : 2024-01-08 21:32:35

સુરતના હજીરા-ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાંખવાના વિરોધમાં આજ રોજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ ધરણા-પ્રદર્શનો કર્યા હતા. લીલા શાકભાજી, હળ સહિત પીએમથી લઈ વિવિધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજુઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત હાલ જે હયાત ટ્રેક છે. તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ-હજીરા વચ્ચે નવી રેલવે લાઈન નાંખવાનો 14 ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 


350થી વધુ ખેડૂતોની જમીન જશે 


કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા-ગોથાણ 50 કિલોમીટર નવી બ્રોડગેજ લાઇનને નાંખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.જેની કામગીરી પણ હાલ ચાલી ચાલી રહી છે.કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવી રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. જેમાં 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. ખેડૂતોના મતે રેલવે લાઈનથી દામકા, વાંસવા, સુંવાલી, રાજગીરી, મોરા અને ભટલાઈ સહિતના ગામ બે ભાગમાં વહેંચાઈ જશે અને તેમને મોટું નુકસાન થશે તેથી જ ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી.


“જાન દેગે પર જમીન નહિ દેંગે”


સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો અઠવાલાઇન્સ સ્થિત  જિલ્લા કલેકટર કચેરીએ લીલા શાકભાજી,હળ,વિવિધ વિભાગોમાં કરાયેલ પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા. જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર સને નારેબાજી કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.એટલું જ ન નહીં પરંતુ “જાન દેગે પર જમીન નહિ દેગે”સાથે નારેબાજી કરી ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે,તેનો જ ઉપયોગ કરવામાં આવે.નવી રેલવે ટ્રેક લાઈનની કોઈ જરૂર રહેતી નથી. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, જમીન માપણીના નામે અધિકારીઓ હેરાન કરે છે. એટલું જ નહીં CRZ કાયદાની બીક બતાવવામાં આવે છે. ખેડૂતોના મતે પડતર જમીન હોવા છતાં તેમની જ મહામૂલી જમીન પર રેલવે લાઈન નાંખવા માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!