Surat: એથર કેમિકલ કંપનીને ફટકારાયો લાખોનો દંડ, ફાયર વિભાગ જાગ્યું, ફાયર સેફ્ટિના સાધનો ના મળતા અનેક એકમો કરાઈ સીલ


  • Published By :
  • Published Date : 2023-12-01 12:30:58

સુરતમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાને કારણે અનેક કામદારો દાઝ્યા છે જ્યારે 7 કામદારોના મોત નિપજ્યાં છે. આ આગની ઘટનાની ચર્ચા ગુજરાતભરમાં થઈ રહી છે. આ મામલે કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જીપીસીબીએ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે ઉપરાંત 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

કંપનીને ફટકારવામાં આવ્યો 50 લાખનો દંડ! 

આગ લાગવાને કારણે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે એક દુર્ઘટના સુરતમાં બની હતી જેમાં સાત કામદારોના મોત થઈ ગયા. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કામદારના પરિવારને વ્યક્તિદીઠ 50 લાખ રુપિયાના વળતરની અને મૃતકોના બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા છે અને એમાંથી અનેક કામદારોની હાલત ગંભીર છે. ક્લોઝર નોટિસ તેમજ દંડ કંપનીને ફટકારવામાં આવ્યો છે. 


ફાયર વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

સુરતમાં આગની ઘટના બની તે બાદ ફાયર વિભાગની ટીમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. જીઆઈડીસીમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટી છે કે નહીં તેને લઈ ડ્રાઈવ શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ચેકિંગ દરમિયાન જો ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નથી થતું તો તેને સિલ કરવામાં આવી રહી છે. સતત ચોથા દિવસે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવું ચેકિંગ જો પહેલા કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ના બની હોત. કામદારોના જીવ ન ગયા હોત અને બીજા કામદારોના જીવ પર સંકટ ન રહ્યું હોત. ખેર મોડા તો મોડા પરંતુ તંત્ર જાગ્યું તો ખરૂં તેનો આનંદ છે!      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.