સુરતના રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.. આગામી ૩૦મી માર્ચે હળતાળ પર ઉતરશે સુરતના રત્ન કલાકારો.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:47:48

 

 

 

આજના સમયે સામાન્ય થી લઈને રોજબરોજની મજૂરી કરતાં કારીગરો માટે રોજિંદા જીવનની હાડમારીઓ વધી રહી છે.મંદી અને મોંઘવારી બંનેનો ભાર વેઠતા સુરતના રત્ન કલાકારો હવે ફરીથી હડતાળના માર્ગે છે.આગામી ૩૦મી માર્ચના રોજ સૌ રત્ન કલાકારો મેદાને પડશે.કલાકારો પોતાની પડતર માંગણીઓ પૂરી ના થતાં, આર્થિક તંગીનો ભોગ બનીને અંતે જીવ ટૂંકાવે છે.  

 

ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશન અને કલાકારોના યુનિયન દ્વારા વારંવાર સરકારને કલાકારોના પ્રશ્નો અંગે માહિતગાર કર્યા છે.એમના પ્રશ્નોના હલ કરવાના વાયદા સરકાર વારંવાર આપે છે.સરકારે આપેલા વચન પૂરા ના કરતાં હવે, કલાકારો વાયદા પર વાયદા કરતી ભાજપ સરકારની સામે હવે ફરીથી રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.આગામી ૩૦મી માર્ચે રત્ન કલાકારો હળતાળ પર ઉતરશે.

દસેક દિવસ પહેલાં યુનિયને હડતાળનું એલાન કર્યું તેના બીજા દિવસે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ મળી હતીજેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે દિવસમાં સરકાર એક્શન પ્લાન બનાવશે.  વાતને આજે 10થી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથીજેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરી આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવા માટેનું એલાન કરવામાં આવ્યું છે.

 ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની સુરતના રત્ન કલાકારો આ હળતાળને લઈને રત્ન કલાકાર મનીષ ડાંગરિયાએ સૌ કારીગરોને કોવિદરમિયાનની પરિસ્થિતિ અંગે સજાગ કરતાં જણાવ્યું કે જો આપણે સૌ કોવિડ સમયે કામથી અડગા રહી શક્યા તો, હવેતો પોતાના પ્રશ્નો માટે ઉભા રહેવા માટે પાછી પાની ના કરવી જોઈએ.

     સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, મુખ્યમંત્રી જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન ડેલીગેશને મળ્યા ત્યારે વચન આપવામાં આવ્યું હતું કે બે દિવસમાં અમે એક્શન પ્લાન બનાવીશુંપરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથીજેને લઈને એસોસિએશન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સરકાર દ્વારા 30 માર્ચ સુધીમાં જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે છે તો ચોક્કસપણે હડતાળ પાડવામાં આવશે.

છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.સુરતમાં રત્ન કલાકારો 30મીએ હડતાળ પાડશેસરકારે દિવસમાં પ્લાન બનાવવાનું કહ્યા બાદ 10 દિવસે પણ નિરાકરણ નહીં આવતાં હવે તેઓ હડતાળ પર ઉતરશે.  

 

 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!