આજના
સમયે સામાન્ય થી લઈને રોજબરોજની મજૂરી કરતાં કારીગરો માટે રોજિંદા જીવનની હાડમારીઓ
વધી રહી છે.મંદી અને મોંઘવારી બંનેનો ભાર વેઠતા સુરતના રત્ન કલાકારો હવે ફરીથી હડતાળના માર્ગે છે.આગામી ૩૦મી માર્ચના રોજ સૌ રત્ન કલાકારો મેદાને પડશે.કલાકારો પોતાની પડતર માંગણીઓ પૂરી ના થતાં, આર્થિક તંગીનો ભોગ બનીને અંતે જીવ ટૂંકાવે છે.
ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશન અને કલાકારોના યુનિયન દ્વારા
વારંવાર સરકારને કલાકારોના પ્રશ્નો અંગે માહિતગાર કર્યા છે.એમના પ્રશ્નોના
હલ કરવાના વાયદા સરકાર વારંવાર આપે છે.સરકારે આપેલા વચન પૂરા ના કરતાં હવે, કલાકારો
વાયદા પર વાયદા
કરતી ભાજપ સરકારની સામે હવે ફરીથી રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.આગામી
૩૦મી માર્ચે રત્ન
કલાકારો હળતાળ પર ઉતરશે.
દસેક દિવસ પહેલાં યુનિયને હડતાળનું એલાન કર્યું તેના બીજા દિવસે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ મળી હતી, જેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે 2 દિવસમાં સરકાર એક્શન પ્લાન બનાવશે. આ વાતને આજે 10થી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરી આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવા માટેનું એલાન કરવામાં આવ્યું છે.
ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની સુરતના રત્ન કલાકારો આ હળતાળને લઈને રત્ન કલાકાર મનીષ ડાંગરિયાએ સૌ કારીગરોને કોવિડ દરમિયાનની પરિસ્થિતિ અંગે સજાગ કરતાં જણાવ્યું કે જો આપણે સૌ કોવિડ સમયે કામથી અડગા રહી શક્યા તો, હવેતો પોતાના પ્રશ્નો માટે ઉભા રહેવા માટે પાછી પાની ના કરવી જોઈએ.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, મુખ્યમંત્રી જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન ડેલીગેશને મળ્યા ત્યારે વચન આપવામાં આવ્યું હતું કે બે દિવસમાં અમે એક્શન પ્લાન બનાવીશું, પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેને લઈને એસોસિએશન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સરકાર દ્વારા 30 માર્ચ સુધીમાં જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે છે તો ચોક્કસપણે હડતાળ પાડવામાં આવશે.
છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.સુરતમાં રત્ન કલાકારો 30મીએ હડતાળ પાડશે, સરકારે 2 દિવસમાં પ્લાન બનાવવાનું કહ્યા બાદ 10 દિવસે પણ નિરાકરણ નહીં આવતાં હવે તેઓ હડતાળ પર ઉતરશે.