રાહુલ ગાંધી પર ચાલતા માનહાનિ કેસને લઈ સુરત કોર્ટે આપ્યો ચૂકાદો , જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-23 14:33:34

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ સર્જાઈ જતો હોય છે. ત્યારે 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ  મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કેવી રીતે બધા ચોરોની અટક મોદી કેમ છે? મોદી અટક અંગે આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. સુરતની કોર્ટ દ્વારા આ અંગે ચૂકાદો આપવામાં આવ્યો છે જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે.

     

ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સરનેમને લઈ આપ્યું હતું નિવેદન

સમગ્ર મામલાની વાત કરીએ તો વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ, તેમણે નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, મને એક નાનો પ્રશ્ન છે, કે આ બધા ચોરોના નામની પાછળ મોદી કેમ હોય છે. મહત્વનું છે કે એ સમયે અનેક ઘોટાળાઓ સામે આવ્યા હતા. કૌભાંડો બહાર આવ્યા હતાં જેમાં નીરવ મોદી અને લલિત મોદીના નામ બહાર આવ્યા હતા. જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે.  


પૂર્ણેશ મોદીએ કરી હતી ફરિયાદ 

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સમગ્ર મોદી સમાજ રોષે ભરાયો હતો અને સુરત પશ્ચિમના ધારાસભ્ય એવા પૂર્ણેશ મોદીએ તેમની પર માનહાનીનો દાવો કર્યો હતો,જેને પગલે આજે સુરત કોર્ટમાં આ કેસ મુદ્દે સુનવણી થઈ હતી, જેમાં કોર્ટે IPC 500 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. ત્યારે કોર્ટે રાહુલ ગાંંધીને જામીન આપી દીધા છે.  


સુરત ખાતે જોવા મળ્યો નેતાઓનો જમાવડો

2019થી ચાલતા આ કેસની સુનાવણી આજે સુરત કોર્ટે કરી હતી, જે માટે રાહુલ ગાંધી આજે સવારે 11 વાગતા સુરત ખાતે પહોંચ્યાં હતા,જ્યાં કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસના તમામ નેતાઓ જગદીશ ઠાકોરથી લઈને રઘુ શર્મા અને અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા છે અને આ કેસને લઈને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યાં છે, જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓનું કહેવું હતું કે અમને ન્યાયપાલિકા પર ભરોસો છે, અને જો રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં આવશે તો અમે કોર્ટની બહાર જ ધરણા કરીશું, અને જો તેમને દોષિત જાહેર કરવામાં આવશે તો અમે ફટાકડા ફોડીને ઉજવણી કરીશું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સંસદ પદને પણ ખતરો થઈ શકે છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!