સુરત શહેર વિકાસ વિભાગનો ઈજનેર રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયો, ACBએ છટકું ગોઠવી રંગેહાથ પકડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-13 18:14:04

રાજ્યની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બની ગયો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને તગડો પગાર મળતો હોવા છતાં પણ લાંચ લેવાની લાલચ રોકી શક્તા નથી. ઘણી વખત આવા કર્મચારીઓ ACBની ટ્રેપમાં ફસાઈને નોકરી પણ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના સુરતના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગની ઓફિસમાં બની હતી. શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો હતો, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળાની પણ ACBએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા લાંચ માગવામાં આવી હતી. સુરત કોર્પોરેશનના જુનિયર એન્જિનીયર કેયુર પટેલ અને પટાવાળા નિમેષ ગાંધીને ACBએ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી.


35 હજારની લાંચ લેતા ઝડપાયા


સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળા, નિમેષકુમાર રજનીકાંત ગાંધીની પણ ACBએ ધરપકડ કરી છે, મકાનના બીજા માળ અને ત્રીજા માળે આવેલ બે રૂમનું ગેરકાયદે બાંધકામ નહી તોડવાના અવેજપેટે 50 હજારની લાંચ બંને આરોપીઓએ માંગી હતી. આ દરમ્યાન રકઝકના અંતે 35 હજાર લેવાના નક્કી કર્યા હતા.


ACBની ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા


ACBમાં આ મામલે ફરિયાદ થતા ACBએ સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે ગત મોડી સાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું અને પુણા વોર્ડ ઓફિસની સામેથી જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને 35 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા જયારે પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીની તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે