Surat : ઘેંટા બકરાની જેમ રિક્ષામાં ભર્યા હતા બાળકો, ખાડો આવતા રિક્ષા પલટી, જો દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર હોત?


  • Published By :
  • Published Date : 2023-10-06 13:09:12

ખરાબ રોડ રસ્તાની વાત, રસ્તા પર પડેલા ખાડાની વાત તેમજ રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભરેલા લોકોની વાત તો અમે અનેક વખત કરતા હોઈએ છીએ. દર વખતે અલગ અલગ કરતા હોઈએ છીએ. ખરાબ રસ્તાની અલગ સ્ટોરીમાં અને રિક્ષામાં ઘેંટાની જેમ ભરાતા લોકોની અલગ સ્ટોરી કરતા હોઈએ છીએ. પરંતુ આજે થયું બંને સ્ટોરી એક સાથે કરીએ કારણ કે સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં બંનેની વાત એકસાથે થઈ શકે છે.  

રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભર્યા હોય છે વિદ્યાર્થીઓ  

શાળા સુધી વિદ્યાર્થીઓને લાવા લઈ જવા માટે વાલીઓ રિક્ષા બંધાવતા હોય છે. રિક્ષામાં બેસીને વિદ્યાર્થીઓ સ્કૂલે તો પહોંચી જાય અને પાછા ઘરે પણ આવી જતા હોય છે પરંતુ સ્કૂલે કેવી રીતે જતા હોય છે કદાચ તેની જાણ તેમના વાલીઓને નહીં હોય.રિક્ષામાં ઘેંટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. તેની ચર્ચા અનેક વખત કરી. એક રિક્ષા એટલા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય છે કે વિદ્યાર્થીઓને સરખી રીતે બેસવાની જગ્યા પણ નથી મળતી. બાળકો એટલા સંકોચાઈને બેઠા હોય છે જે જોઈને કદાચ આપણને દયા આવી જાય. જે રિક્ષા બાળકોને શાળા સુધી પહોંચાડે છે જો તેને અકસ્માત નડે તો દેવી દશા થાય તેનો ખ્યાલ આવે છે? વાલીઓને પોતાના સંતાનોને ગુમાવવાનો વારો આવે. જે રીતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે તે તદ્દન ખોટુ છે. વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખવાનો હક કોઈને નથી.    

Agency clashes in filling potholes at Mahuvej Char Rasta | મહુવેજ ચાર રસ્તા  ખાતે પડેલા ખાડા પુરવામાં એજન્સીની આડોડાઈ - Divya Bhaskar

રોડ પરના ખાડાઓ વર્ષે ર૩૦૦ જેટલા લોકોનો જીવ લેતા હોવાથી કેરળ હાઈકોર્ટ લાલઘૂમ

રસ્તા પર પડેલા ખાડાને કારણે પલટી આખી સ્કૂલ રિક્ષા!

આ ઉપરનો જે વીડિયો જોયો તે સુરતનોના સાયણનો છે. વીડિયોમાં દેખાય છે કે રસ્તા પરથી જ્યારે રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં ખાડો આવે છે. ખાડો એટલો ભયંકર હતો કે આખી રિક્ષા પલટી મારી ગઈ. રિક્ષા પલટી જવાથી નાના નાના ભૂલકાઓ દબાઈ ગયા. આ દ્રશ્યો જોઈ આસપાસના લોકો રિક્ષાને ઉભી કરવા ત્યાં આવી ગયા અને રિક્ષાને સીધી કરી દીધી. જો આ દુર્ઘટનામાં બાળકોને થઈ ગયું હોત તો જવાબદાર કોણ હોત? 

ખરાબ રસ્તાને કારણે લોકો બન્યા છે ત્રસ્ત 

સામાન્ય દિવસોમાં પણ રસ્તાની હાલત એકદમ દયનિય હોય છે. રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળતા હોય છે. ત્યારે હમણાં જ ચોમાસાની સિઝન પૂર્ણ થઈ છે. આ દરમિયાન રસ્તા પર ખાડારાજ જોવા મળતું હોય છે. ખરાબ રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ખરાબ રસ્તાને કારણે વાહનોને તો નુકસાન પહોંચે છે પરંતુ શરીરને પણ નુકસાન પહોંચે છે. ત્યારે ખરાબ રસ્તાનું સમારકામ પણ કરાવું જોઈએ ઉપરાંત આવા રિક્ષા ચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!