સુરત - આઈસ્ક્રીમ ખાધા બાદ બગડી બાળકોની તબિયત, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા Food poisoningને કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન


  • Published By :
  • Published Date : 2024-11-30 12:40:39

ફૂડ પોઈઝનિંગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે... ત્યારે સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું... એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે બાળકોના મોત ફૂડ પોઈઝનિંગને કારણે થયા છે.... બાળકોના અચાનક મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે... પરિવારમાં આક્રંદ છવાયો છે... બાળકોનું મોત કયા કારણોસર થયું તે માટે તપાસ કરવામાં આવી રહી છે.... મળતી માહિતી અનુસાર આ માહિતી મળતા સુરતના મેયર પણ ત્યાં દોડી આવ્યા છે.. 


તબિયત ખરાબ થતા ખસેડાયા હોસ્પિટલ 

ત્રણ બાળકોના શંકાસ્પદ મોત સુરતના પાલી ગામમાં થયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોએ મંદિર પાસે તાપણું કર્યું હતું. અચાનક બાળકોની તબિયત બગડી, ઉલટી થઈ.. તબિયત ખરાબ થતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા.  ચાર બાળકોની તબિયત ખરાબ થઈ હતી જેમાંથી ત્રણ બાળકોના મોત નિપજ્યા છે જ્યારે અન્યની તબિયત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.... મહત્વનું છે કે બાળકોના મોત શેના કારણે નિપજ્યાં તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે