રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારનારા સુરત કોર્ટના જજની બઢતી સાથે બદલી


  • Published By :
  • Published Date : 2023-05-04 14:38:33

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારનારા સુરત કોર્ટના જજ એચ.એચ.વર્માની બઢતી સાથે બદલી થઈ છે. સુરત જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ પર રહેલા જસ્ટિસ હરીશ હસુમખભાઈ વર્માની રાજકોટમાં 16માં અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા બાદ દેશના રાજકારણમાં રીતસરનો રાજકીય ભૂકંપ આવ્યો હતો. આ સજા માટે કોંગ્રેસના નેતાઓએ ભાજપ ભાજપ અને  કેન્દ્રની મોદી સરકારને જવાબદાર ઠરાવી તેના પર આકરા પ્રહારો કર્યા હતા.


રાહુલ ગાંધીને મળી છે બે વર્ષની સજા?


રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના મામલે 23 માર્ચે સુરતની કોર્ટે 2019માં કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને કલમ 504 હેઠળ બે વર્ષની સજા સંભળાવી હતી. જોકે, તેને અમલ માટે કોર્ટ તરફથી થોડા દિવસનો સમય મળ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. રાહુલે તેમની સજાને સુરત સેસન્સ કોર્ટમાં પડકારી હતી. જો કે તેમની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.


સમગ્ર મામલો શું છે?


રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં યોજાયેલી એક રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?’જેને લઈને સુરત ભાજપના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલના નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ પણ રદ્દ થયું હતું. આ સમગ્ર મામલે જબરદસ્ત રાજકીય વિવાદ થયો હતો. 


રાહુલ ગાંધીએ કરી છે ગુજરાત HCમાં અરજી


સુરત કોર્ટના ચુકાદાને રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે ગઈ કાલે 2 મેના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જો કે હાઈકોર્ટે રાહુલ ગાંધીને કોઇ રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર વચગાળાના જામીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કોર્ટે બંન્ને પક્ષની દલિલો સાંભળ્યા બાદ કોઇ પણ રાહત આપી નહોતી. કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. વેકેશન પૂર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.