સુરતમાં ભાજપને ફટકો, 500થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 13:40:30

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની સરકાર સામે કર્મચારી આંદોલનો વધી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની લોક લુભાવક ગેરન્ટી યોજનાઓ લોકોને આકર્ષી રહી છે. જનતાને વિવિધ ગેરેન્ટી આપનારી યોજનાઓ હવે ભાજપના કાર્યકરોને પણ આકર્ષી રહી છે. આવતી કાલે  કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપમાં મોટું ઓપરેશન પાર પડ્યું છે. ભાજપના  500થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.


સુરત ભાજપમાં ગાબડું


ગુજરાતની સામાન્ય જનતા જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો  હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે ભાજપના 500થી વધુ કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આયોજિત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી રાજકુમાર સિંહ, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને નવસારી લોકસભા પ્રમુખ ઈ.કે.પાટીલના હસ્તે 500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.


AAPના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ


આમ આદમી પાર્ટીએ પંજાબમાં સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે પાર્ટીના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. આપના નેતા અરવિંદ કેજરીવાલની નજર હવે ગુજરાત પર છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીએ 182 બેઠક માંથી 29 બેઠક ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી  આપી અને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગુજરાતમાં ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી લોકોના ઘર સુધી ‘આપ’ની વિચારધારા પહોંચાડવાનો  પ્રયાસ  કરી રહ્યા છે.  આમ આદમી પાર્ટીની રણનીતિ જનતા કેટલી પસંદ કરે છે તે આગામી ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે ભાજપના ગઢમાં આમ આદમી  પાર્ટીએ ગાબડું પાડ્યું છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.