Surat: વધુ એક યુવાનને કાળ ભરખી ગયો, ગરબા રમતી વખતે યુવક ઢળી પડ્યો અને મોતને વ્હાલો થઈ ગયો.. પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-06 16:50:26

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસોમાં જ અનેક યુવાનોના જીવ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. સુરતમાં ગરબા રમતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો. જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે થોડા દિવસોમાં અનેક યુવાનોને કાળ ભરખી ગયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર 26 વર્ષીય રાજ મોદી નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થઈ ગયું છે. પરિવારના સદસ્યની આવી અચાનક વિદાયથી પરિવાર શોકમાં છે. 





આની પહેલા પણ ગરબા કરતી વખતે યુવકનું થયું હતું મોત 

કોરોના બાદ રાજ્યમાં જાણે હાર્ટ એટેક આવવાનો રાફળો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા કિસ્સાઓ આપણી સામે છે. રાજકોટમાં માત્ર થોડા કલાકોની અંદર 5 જેટલા લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ ગયા છે. થોડા દિવસો પહેલા જામનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 19 વર્ષીય યુવાન ગરબા રમતી વખતે મોતને ભેટ્યો હતો. તે પહેલા પણ અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં અચાનક માણસ પોતાનો અંતિમ શ્વાસ લઈ લે છે અને ખબર પણ નથી પડતી. 


ગરબાના ગ્રાઉન્ડ પર હાજર રહેશે ડોક્ટરની ટીમ   

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી અનેક ગરબા આયોજકો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડમાં ડોક્ટરની ટીમ હાજર રહેશે જેને કારણે જો કોઈને તકલીફ પડે તો તેને ત્વરીત સારવાર મળી રહે. મહત્વનું છે કે ગરબાને લઈ ગુજરાતમાં રહેતા લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. નવરાત્રીની રાહ લોકો લાંબા સમયથી જોતા હોય છે. અલગ અલગ સ્ટેપ શિખવા માટે ગરબા ક્લાસીસ પણ જોઈન કરતા હોય છે. ત્યારે ગરબા જીવનનો અંતિમ ક્ષણ ન બની જાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.