Surat: વધુ એક યુવાનને કાળ ભરખી ગયો, ગરબા રમતી વખતે યુવક ઢળી પડ્યો અને મોતને વ્હાલો થઈ ગયો.. પરિવાર શોકમગ્ન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-06 16:50:26

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસોમાં જ અનેક યુવાનોના જીવ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. સુરતમાં ગરબા રમતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો. જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે થોડા દિવસોમાં અનેક યુવાનોને કાળ ભરખી ગયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર 26 વર્ષીય રાજ મોદી નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થઈ ગયું છે. પરિવારના સદસ્યની આવી અચાનક વિદાયથી પરિવાર શોકમાં છે. 





આની પહેલા પણ ગરબા કરતી વખતે યુવકનું થયું હતું મોત 

કોરોના બાદ રાજ્યમાં જાણે હાર્ટ એટેક આવવાનો રાફળો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા કિસ્સાઓ આપણી સામે છે. રાજકોટમાં માત્ર થોડા કલાકોની અંદર 5 જેટલા લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ ગયા છે. થોડા દિવસો પહેલા જામનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 19 વર્ષીય યુવાન ગરબા રમતી વખતે મોતને ભેટ્યો હતો. તે પહેલા પણ અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં અચાનક માણસ પોતાનો અંતિમ શ્વાસ લઈ લે છે અને ખબર પણ નથી પડતી. 


ગરબાના ગ્રાઉન્ડ પર હાજર રહેશે ડોક્ટરની ટીમ   

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી અનેક ગરબા આયોજકો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડમાં ડોક્ટરની ટીમ હાજર રહેશે જેને કારણે જો કોઈને તકલીફ પડે તો તેને ત્વરીત સારવાર મળી રહે. મહત્વનું છે કે ગરબાને લઈ ગુજરાતમાં રહેતા લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. નવરાત્રીની રાહ લોકો લાંબા સમયથી જોતા હોય છે. અલગ અલગ સ્ટેપ શિખવા માટે ગરબા ક્લાસીસ પણ જોઈન કરતા હોય છે. ત્યારે ગરબા જીવનનો અંતિમ ક્ષણ ન બની જાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. 





વરસાદની સિઝન હોય તો ગમવું કોને ના ગમે.. અનેક લોકો ફરવામાટે વરસાદની જ રાહ જોતા હોય છે.. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે ખીલતી હોય છે. આજે ઉમાશંકર જોષીની 113મી જન્મ જયંતી છે..

લવ જેહાદનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લવ જેહાદને રોકવા માટે અનેક લોકો પ્રયાસ પણ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ એક નિવેદન આપ્યું છે.. વડોદરાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આના વિશે વાત કરી હતી.

દરેકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું હોય છે તેટલી જ જરૂર બાળકને શિક્ષકની હોય છે.. ગુરૂની હોય છે.. ગુનો અર્થ થાય છે અંધારૂં અને રૂનો અર્થ થાય છે દૂર કરનાર..અંધારામાંથી આપણને બહાર લાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે..

સી.આર.પાટીલ ડિસેમ્બર સુધી પ્રદેશ અધ્યક્ષના સ્થાન પર રહેશે તેવી વાત સામે આવી છે. સી.આર.પાટીલને જ્યારથી કેન્દ્રમાં મંત્રીનું પદ મળ્યું ત્યારથી ભાજપ માટે એ પ્રશ્ન હતો કે ગુજરાતમાં અધ્યક્ષ હવે કોણ બનાવશે? જેનો જવાબ મળી ગયો છે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થતાં ભાજપના પ્રદેશ નેતાઓનું બ્લડપ્રેશર વધી ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.