સુરત એરપોર્ટ બન્યું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું


  • Published By :
  • Published Date : 2024-01-31 21:49:11

ભારત સરકારે ગુજરાતના સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.જોઈન્ટ સેક્રેટરી રૂબીના અલીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2023માં કેન્દ્રીય કેબિનેટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, "આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, વિદેશી રોકાણ આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવો સર્વોપરી છે."


1800 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ


સુરત એરપોર્ટની વાત કરીએ તો કેન્દ્ર સરકારે નવા ટર્મિનલ બિલ્ડિંગ માટે 353 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. નવી ઇમારતમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને પાંચ બેગેજ કેરોસેલ્સ હોવાનું કહેવાય છે. આ ટર્મિનલ બિલ્ડીંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેથી તેને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.


એરપોર્ટ પર પાર્કિંગની મોટી જગ્યા 


તે પીક ટાઇમ દરમિયાન એક સમયે 1800 મુસાફરોને હેન્ડલ કરી શકશે. પ્લાન મુજબ સુરત એરપોર્ટ પર ફોર વ્હીલર, ટેક્સી, બસ અને બાઇક માટે મોટું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓ અને VIP માટે અલગ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


મોદીએ નવા ટર્મિનલ બિલ્ડિંગનું  કર્યું હતું ઉદ્ઘાટન


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2024ના રોજ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે આસપાસ ફરીને  નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "સુરતમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ શહેરના વિકાસમાં એક મહત્વની સિદ્ધિ દર્શાવે છે. આ અત્યાધુનિક સુવિધા પ્રવાસના અનુભવને શ્રેષ્ઠ બનાવશે, તે ઉપરાંત આર્થિક વિકાસ, પ્રવાસન અને હવાઈ સંપર્કને પણ વેગ આપશે. "



અંતે ગોંડલ રાજકુમાર જાટ કેસમાં ગુનો નોંધાયો

વિશ્વ ટીબી દિવસ, જેને ટ્યુબરક્યુલોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 24 માર્ચે આ દિવસે ટીબીને લઇને જાગૃત્તિ ફેલાવવામાં આવે છે. આ સંદર્ભમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિવિધ દેશોમાં જરૂરિયાતમંદ લોકોને મદદનો હાથ લંબાવે છે. આ વખતે ટીવી ડે ની થીમ છે Yes! We Can End TB: Commit, Invest, Deliver

Comedians are not really having a good time, earlier this was happening in memes but now it is happening in reality, first India's Got Talent and now Kunal Kamra.. I don't know if there is controversy in comedy or if controversy is comedy.

ટેસ્લાના માલિક ઈલોન મસ્ક વિશ્વભરમાં ખુબ જ વિરોધનો સામનો કરી રહ્યા છે કેમ કે તેમની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા વધી રહી છે સાથે જ તેમણે યુરોપની ઘણી દક્ષિણપંથી પાર્ટીઓને સમર્થન આપ્યું છે. આટલું જ નહિ વિશ્વભરમાં ટેસ્લાના શેર્સમાં પણ કડાકો આવ્યો છે સાથે ટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ પણ ઘટી ગયું છે હવે તેમને આશા માત્ર ભારત સાથે જ છે . મુંબઈમાં તેમનો પેહલો શોરૂમ ખુલી ચુક્યો છે.