સુરત ફરી શર્મસાર થયું, ચાર વર્ષની બાળકી પર યુવકે આચર્યું દુષ્કર્મ, દર્દથી પીડાઈ રહેલી માસુમની ચાલી રહી છે સારવાર, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-23 12:31:47

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. જો આપણે આ વાતને ભૂતકાળ કહીએ તો પણ ખોટા ન પડીએ કારણે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. પરંતુ હવે તો નાની બાળકી પણ સુરક્ષિત નથી. ગઈકાલે સુરતથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં નરાધમે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી અનુસાર ચાર વર્ષીય માસુમ બાળકીને 21 વર્ષીય યુવક ઉઠાવી ગયો હતો અને તે બાદ દુષ્કર્મ આચર્યું હતું. જે વખતે બાળકીને પડોશી ઉઠાવીને જતો હતો તે સમયના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરિના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.    


ચાર વર્ષની બાળકીને બનાવ્યો હવસનો શિકાર

દિવસેને દિવસે મહિલા પર થતાં દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. નાની બાળકીઓ હવસનો શિકાર બની રહી છે. નરાધમો બાળકીને પોતાના હવસનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેને લઈ માનવતા શર્મસાર થઈ જાય છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડિંગમાં પોતાના પરિવારની સાથે બાળકી સૂતી હતી ત્યારે ત્યાં નજીકમાં રહેતો યુવક સૂતેલી બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને રઝળતી હાલતમાં મૂકી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકી ધીમે ધીમે કરી પોતાના ઘરે પહોંચી અને બાળકીની હાલત જોઈ પરિવારના તળિયેથી જમીન સરકી ગઈ હતી. 


બાળકીને બચાવવા કરાઈ રહ્યો છે પ્રયાસ

દર્દથી પીડાતી દીકરીને પરિવારજનોએ હોસ્પિટલ ખસેડી હતી. સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીના શરીર પર અનેક ઈજાઓ મળી આવી હતી. ચહેરા પર પણ ઈજાઓ પહોંચી છે. અંદાજીત બે કલાક સુધી બાળકીનું ઓપરેશન ચાલ્યું હતું. ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પણ બાળકીની હાલત નાજુક છે અને આઈસીયુમાં દાખલ છે. બાળકી જલ્દી સાજી થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 



લોકોમાં આ ઘટનાને લઈ જોવા મળ્યો રોષ

આ મામલે પોલીસે પણ જલ્દી કાર્યવાહી કરી છે. નરાધમ વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને મળતી માહિતી અનુસાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી વધતી ઘટનાઓથી સાબિત થઈ રહ્યું કે આપણો સમાજ કઈ તરફ આગળ વધી રહ્યો છે. નાની બાળકીઓ પણ હવે તો રાજ્યમાં સુરક્ષિત નથી. પાડોશીને આપણે ત્યાં પહેલો સગો માનવામાં આવે છે પરંતુ હવે એવી હાલત થઈ ગઈ છે કે પડોશી પર પણ વિશ્વાસ કરતા લોકો ડરી રહ્યા છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!