સુરત આમ આદમી પાર્ટીમાં સર્જાયું ભંગાણ! આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો


  • Published By :
  • Published Date : 2023-04-21 14:01:00

સુરત આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે. થોડા સમય પહેલા ભાજપમાં 6 જેટલા કોર્પોરેટરો જોડાયા હતા. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોએ આપનો છેડો ફાડી દીધો છે અને ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી આપના 12 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સુરત વોર્ડ નંબર 2માંથી અલ્પેશ પટેલ અને વોર્ડ નંબર ત્રણના કનુ ગેડિયા ભાજપમાં સામેલ થયા છે.      


વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલે ભગવો ધારણ કર્યો.

આપના કોર્પોરેટર કનુ ગેડિયાએ કેસરિયો ધારણ કર્યો.


આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ છોડ્યો છે આપનો સાથ!

ગુજરાતમાં થોડા સમય પહેલા જ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાંચ વિધાનસભા સીટો પર જીત હાંસલ કરી છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પક્ષ પલટો કરવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ આપનો સાથ છોડી દીધો છે.  


27માંથી 12 કોર્પોરેટરો જોડાયા ભાજપમાં!

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. પરંતુ સમય જતા જતા 27માંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા દિવસો પહેલા હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરનું ભાજપમાં સ્વાગત કર્યું હતું ત્યારે આજે વધુ બે કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા છે. હવે માત્ર 15 કોર્પોરેટરો જ આમ આદમી પાર્ટી પાસે રહ્યા છે. 


આ કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો!

અત્યાર સુધી અશોક ધામી, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, સ્વાતિ ક્યાડા, કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, ઋતા ખેની, જ્યોતિ લાઠિયા, ભાવના સોલંદી અને વિપુલ મોવલિયાએ પક્ષ પલટો કર્યો હતો પરંતુ હવે આ લિસ્ટમાં કનુ ગેડિયા અને અલ્પેશ પટેલના નામનો સમાવેશ પણ થઈ ગયો છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ થવો સ્વાભાવિક છે કે શું કામ પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીના વિરૂદ્ધ તમે ચૂંટણી લડ્યા છો તે જ પાર્ટીમાં જીત્યા બાદ તમે સામેલ થાવ છો તો એનો મતલબ શું?     





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.