Surat : કારચાલકે ટક્કર મારી તોડી આઈસ્ક્રીમ વેચતા ફેરિયાની સાઇકલ, શ્રમજીવી પહોંચ્યા પોલીસ સ્ટેશન અને સર્જાયા ભાવુક દ્રશ્યો, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2024-05-16 14:56:18

પોલીસ.... આ શબ્દ સાંભળીને પોલીસ દ્વારા કરવામાં આવતો ખરાબ વ્યવહાર, ખરાબ વર્તન, દાદાગીરી જેવી વાતો યાદ આવતી હોય છે.... પરંતુ પોલીસ વિભાગમાં અનેક એવા અધિકારીઓ પણ છે જેમની કામગીરી પ્રશંસનિય હોય છે.. તેમને જોતા લાગે છે કે પોલીસમાં પણ હજી માનવતા જીવે છે...  ત્યારે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે. 

સાયકલ તૂટી પડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શ્રમજીવી 

નાનું મોટું કામ કરી અનેક લોકો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે... પરંતુ જ્યારે તે જીવા દોરી સમાન ગણાતું સાધન તેમનાથી દૂર થઈ જાય તો તેમને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે.. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પોતાનું ગુજરાન ચલાવતા એક શ્રમજીવીની સાયકલ વાહનની અડફેટે આવતા તૂટી ગઈ... સાયકલ તૂટી જતા તે શ્રમિક પોલીસસ્ટેશન ગયા અને ત્યાં પોલીસને આપવીતિ કહી.. પોલીસવાળાથી તેમનું દુ:ખ જોઈ ના શકાયું અને રાંદેર પોલીસની ટીમે તેમને નવી સાયકલ ભેટ કરી.. નવી સાયકલ મળતા શ્રમજીવીની આંખો ભીની થઈ ગઈ..  જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાવુક કરી દે તેવા છે..


પોલીસે મહેકાવી માનવતા... 

મહત્વનું છે કે આ વાંચ્યા બાદ અનેક લોકોને લાગી શકે છે  આમાં શું માત્ર સાયકલ જ ભેટ કરી છેને.. પરંતુ તે સાયકલ આપણા માટે સાયકલ  છે પરંતુ તે શ્રમજીવી માટે તેની રોજીરોટી આપનારૂં સાધન છે.. પોલીસની છબી ગમે તેવી ખરાબ કેમ ના હોય પરંતુ પોલીસની સામે આવતી આવી છબી એવો વિશ્વાસ બેસાડે છે કે માનવતા હજી જીવંત છે પોલીસ વાળામાં.. પોલીસ વિભાગની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઈ શકે તેમ છે પરંતુ આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે તેની તારીફ કરવી જોઈએ..



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.