Surat : કારચાલકે ટક્કર મારી તોડી આઈસ્ક્રીમ વેચતા ફેરિયાની સાઇકલ, શ્રમજીવી પહોંચ્યા પોલીસ સ્ટેશન અને સર્જાયા ભાવુક દ્રશ્યો, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2024-05-16 14:56:18

પોલીસ.... આ શબ્દ સાંભળીને પોલીસ દ્વારા કરવામાં આવતો ખરાબ વ્યવહાર, ખરાબ વર્તન, દાદાગીરી જેવી વાતો યાદ આવતી હોય છે.... પરંતુ પોલીસ વિભાગમાં અનેક એવા અધિકારીઓ પણ છે જેમની કામગીરી પ્રશંસનિય હોય છે.. તેમને જોતા લાગે છે કે પોલીસમાં પણ હજી માનવતા જીવે છે...  ત્યારે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે. 

સાયકલ તૂટી પડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શ્રમજીવી 

નાનું મોટું કામ કરી અનેક લોકો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે... પરંતુ જ્યારે તે જીવા દોરી સમાન ગણાતું સાધન તેમનાથી દૂર થઈ જાય તો તેમને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે.. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પોતાનું ગુજરાન ચલાવતા એક શ્રમજીવીની સાયકલ વાહનની અડફેટે આવતા તૂટી ગઈ... સાયકલ તૂટી જતા તે શ્રમિક પોલીસસ્ટેશન ગયા અને ત્યાં પોલીસને આપવીતિ કહી.. પોલીસવાળાથી તેમનું દુ:ખ જોઈ ના શકાયું અને રાંદેર પોલીસની ટીમે તેમને નવી સાયકલ ભેટ કરી.. નવી સાયકલ મળતા શ્રમજીવીની આંખો ભીની થઈ ગઈ..  જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાવુક કરી દે તેવા છે..


પોલીસે મહેકાવી માનવતા... 

મહત્વનું છે કે આ વાંચ્યા બાદ અનેક લોકોને લાગી શકે છે  આમાં શું માત્ર સાયકલ જ ભેટ કરી છેને.. પરંતુ તે સાયકલ આપણા માટે સાયકલ  છે પરંતુ તે શ્રમજીવી માટે તેની રોજીરોટી આપનારૂં સાધન છે.. પોલીસની છબી ગમે તેવી ખરાબ કેમ ના હોય પરંતુ પોલીસની સામે આવતી આવી છબી એવો વિશ્વાસ બેસાડે છે કે માનવતા હજી જીવંત છે પોલીસ વાળામાં.. પોલીસ વિભાગની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઈ શકે તેમ છે પરંતુ આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે તેની તારીફ કરવી જોઈએ..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.