Surat: એથર કંપનીમાં લાગેલી આગમાં થયા 7 શ્રમિકોના મોત, મળ્યા મૃતદેહ, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-30 13:43:46

સુરત શહેરના સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગમાં અનેક કામદારો દાઝ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે 6થી 7 શ્રમિકો લાપતા હતા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે. હજી એક વ્યક્તિ લાપતા છે. મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

 

આગમાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા 

સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવાર રાત્રે ૧:૩૦ વાગે પ્રથમ બ્લાસ્ટ થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે કંપનીમાં 150 જેટલા કર્મચારીઓ હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં દાઝેલા ૨૭ કર્મચારીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા. સાત જેટલા કામદારો લાપતા હતા. આ બધા વચ્ચે 6 કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. મંગળવારે રાતે બે વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. 


ઘટનામાં સાત શ્રમિકોના થયા મોત

આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ત્યાં દોડી આવી હતી. અનેક કલાકો સુધી પાણીનો મારો કરવામાં આવ્યો અને ભારે મહેનત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આ દુર્ઘટનામાં બુધવારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ સાત લોકો ગુમ થયાના સમાચાર આવ્યા હતા. એવી માહિતી સામે આવી હતી કે આ દુર્ઘટનામાં 27 કામદારો દાઝ્યા હતા સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 6 શ્રમિકોના મૃતદેહો મળી આવ્યા છે.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.