Surat: એથર કંપનીમાં લાગેલી આગમાં થયા 7 શ્રમિકોના મોત, મળ્યા મૃતદેહ, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 13:43:46

સુરત શહેરના સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગમાં અનેક કામદારો દાઝ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે 6થી 7 શ્રમિકો લાપતા હતા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે. હજી એક વ્યક્તિ લાપતા છે. મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

 

આગમાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા 

સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવાર રાત્રે ૧:૩૦ વાગે પ્રથમ બ્લાસ્ટ થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે કંપનીમાં 150 જેટલા કર્મચારીઓ હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં દાઝેલા ૨૭ કર્મચારીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા. સાત જેટલા કામદારો લાપતા હતા. આ બધા વચ્ચે 6 કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. મંગળવારે રાતે બે વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. 


ઘટનામાં સાત શ્રમિકોના થયા મોત

આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ત્યાં દોડી આવી હતી. અનેક કલાકો સુધી પાણીનો મારો કરવામાં આવ્યો અને ભારે મહેનત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આ દુર્ઘટનામાં બુધવારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ સાત લોકો ગુમ થયાના સમાચાર આવ્યા હતા. એવી માહિતી સામે આવી હતી કે આ દુર્ઘટનામાં 27 કામદારો દાઝ્યા હતા સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 6 શ્રમિકોના મૃતદેહો મળી આવ્યા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.