કેન્દ્રએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવ્યો, દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ પર વટહુકમ બહાર પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-05-20 13:44:14

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. હવે એક સમિતિ દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ કરશે. આ રીતે ફરી એક વખત જૂની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. શુક્રવારે મોડી રાત્રે કેન્દ્રએ આ વટહુકમ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને ટ્રાન્સફર પોસ્ટિંગના અધિકારો આપ્યા છે. દિલ્હી ભારતની રાજધાની છે, જે સીધી રાષ્ટ્રપતિની નીચે છે. આવી સ્થિતિમાં અધિકારીઓના ફેરબદલનો અધિકાર રાષ્ટ્રપતિના આધિન જ રહેશે.


કેન્દ્ર સરકારે બહાર પાડ્યો વટહુકમ 


સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે દિલ્હીમાં સેવાઓના નિયંત્રણને લઈને ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય દિલ્હી સરકારની તરફેણમાં હતો. જો કે હવે કેન્દ્ર સરકાર વટહુકમ લાવી છે. હવે અધિકારીઓની બદલી એક કમિટી દ્વારા કરવામાં આવશે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, મુખ્ય ગૃહ સચિવ હશે અને બહુમતીથી નિર્ણય લેવામાં આવશે. વટહુકમમાં આ સમિતિને નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી (NCCSA) નામ આપવામાં આવ્યું છે. આ સમિતિ માત્ર ભલામણો કરશે, નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર લેશે. આ વટહુકમથી સુપ્રીમ કોર્ટનો ચુકાહો બિનઅસરકારક બની ગયો છે.


મુખ્યમંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી


જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આશંકા વ્યક્ત કરી હતી. એલજીને મળ્યા બાદ સાંજે પત્રકારો સાથે વાત કરીને આ અંગે અરવિંદ કેજરીવાલે પોતાની આશંકા વ્યક્ત કરી હતી. આ પહેલા બપોરે તેમણે ટ્વીટ કર્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર કોર્ટના આદેશનું પાલન કેમ નથી કરી રહ્યા? તમે બે દિવસ સુધી સેવા સચિવની ફાઇલ પર સહી કેમ ન કરી? એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર આવતા અઠવાડિયે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવી જશે? દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટમાં સવાલ કર્યો છે કે, શું કેન્દ્ર સરકાર કોર્ટના આદેશને ઉલટાવવાનું કાવતરું કરી રહી છે? શું લેફ્ટનન્ટ ગવર્નર વટહુકમની રાહ જોઈ રહ્યા છે, તેથી જ ફાઇલ પર સહી નથી કરી રહ્યા?


11 મેના રોજ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો


અત્રે ઉલ્લેખનિય છે કે, 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકારને સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં સરકારના કામકાજ પર કેન્દ્રને સંપૂર્ણ અધિકાર આપી શકાય નહીં. દિલ્હીના બંધારણમાં સંઘીય મોડલ છે. ચૂંટાયેલી સરકાર જનતા પ્રત્યે જવાબદારી ધરાવે છે. દિલ્હીના અધિકારો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. સવાલ એ છે કે દિલ્હીની સેવાઓ પર કોનો અધિકાર રહેશે? કેન્દ્રની દખલગીરીથી રાજ્યોની કામગીરીને અસર થવી જોઈએ નહીં.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!