સુપ્રીમ કોર્ટે 'ધ કેરાલા સ્ટોરી'ની રિલીઝ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર, કહીં આ મોટી આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-02 14:43:52

હિન્દી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું રૂવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. આ ફિલ્મમાં કેરળની 32,000 છોકરીઓની કહાની બતાવવામાં આવી છે, જે લવ જેહાદના ચુંગાલમાં ફસાઈને ઈસ્લામ ધર્મ અપનાવી લે છે. આ ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તેના પર વિવાદ ચાલી રહ્યો છે. કેરળના શાસક પક્ષો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ-કોંગ્રેસે આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.


ફિલ્મની રિલીઝને પડકારવી તે યોગ્ય ઉપાય નથી: SC


ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાની અરજીનો સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ નફરતને પ્રોત્સાહન આપે છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની ડિવિઝન બેન્ચે કહ્યું કે ફિલ્મની રિલીઝને પડકારવો એ યોગ્ય ઉપાય નથી. ધ કેરળ સ્ટોરીનો વિવાદ સતત વધી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ 'ધ કેરળ સ્ટોરી' સામે વાંધો ઉઠાવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.