કેજરીવાલ સરકારે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, જાણો વિવાદ શા માટે વધ્યો


  • Published By :
  • Published Date : 2023-05-12 16:31:45

દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે સતત સત્તાની ખેંચતાણ ચાલી રહે છે. અધિકારીઓની બદલી અને નિમણૂકના પ્રશ્ને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છતાં હજુ પણ ખટરાગ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ આમ આદમી પાર્ટીની સરકાર વહીવટી અધિકારીઓની બદલીઓ નહીં કરી શકવા લાચાર બની છે. હવે મામલે ફરી એક વખત કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી નવી બેંચની રચના કરશે જે અરજી અંગે સુનાવણી કરશે.


ફરી વિવાદ કેમ વધ્યો?


સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ દિલ્હી સરકારે દિલ્હી સરકાર સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ આશીષ મોરેની બદલીનો આર્ડર આપ્યો હતો. આપ સરકાર મોરેના સ્થાને 1995 બેચના આઈએએસ અધિકારી અને દિલ્હી જળ બોર્ડના સીઈઓ એકે સિંહને સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ બનાવવા માગે છે. જો કે કેજરીવાલ સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મોરેની બદલીનો અમલ કરી રહી નથી. આ જ કારણે આપ સરકાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આપ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કોર્ટના અનાદરનો કેસ થઈ શકે છે.


સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો


સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે અધિકારીઓની બદલી અને નિમણૂકનો અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. પાંચ જજોની આ બેંચે કહ્યું કે દિલ્હી દેશના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ નથી અને દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકિય અને વહીવટી સત્તા છે. ઉપરાજ્યપાલ સામેની આ લડાઈમાં દિલ્હી સરકારની જીત માનવામાં આવી હતી.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!