કેજરીવાલ સરકારે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, જાણો વિવાદ શા માટે વધ્યો


  • Published By :
  • Published Date : 2023-05-12 16:31:45

દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે સતત સત્તાની ખેંચતાણ ચાલી રહે છે. અધિકારીઓની બદલી અને નિમણૂકના પ્રશ્ને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છતાં હજુ પણ ખટરાગ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ આમ આદમી પાર્ટીની સરકાર વહીવટી અધિકારીઓની બદલીઓ નહીં કરી શકવા લાચાર બની છે. હવે મામલે ફરી એક વખત કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી નવી બેંચની રચના કરશે જે અરજી અંગે સુનાવણી કરશે.


ફરી વિવાદ કેમ વધ્યો?


સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ દિલ્હી સરકારે દિલ્હી સરકાર સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ આશીષ મોરેની બદલીનો આર્ડર આપ્યો હતો. આપ સરકાર મોરેના સ્થાને 1995 બેચના આઈએએસ અધિકારી અને દિલ્હી જળ બોર્ડના સીઈઓ એકે સિંહને સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ બનાવવા માગે છે. જો કે કેજરીવાલ સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મોરેની બદલીનો અમલ કરી રહી નથી. આ જ કારણે આપ સરકાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આપ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કોર્ટના અનાદરનો કેસ થઈ શકે છે.


સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો


સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે અધિકારીઓની બદલી અને નિમણૂકનો અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. પાંચ જજોની આ બેંચે કહ્યું કે દિલ્હી દેશના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ નથી અને દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકિય અને વહીવટી સત્તા છે. ઉપરાજ્યપાલ સામેની આ લડાઈમાં દિલ્હી સરકારની જીત માનવામાં આવી હતી.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.