'માત્ર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી SC/ST એક્ટ હેઠળ કેસ કરી શકાય નહીં': સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-20 18:58:19

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 (SC/ST એક્ટ)ને લઈને મોટી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ એસટી એક્ટની અરજી કરવા માટે માત્ર અભદ્ર ભાષાનો ઉપયોગ પૂરતો નથી. કોર્ટે વ્યક્તિ સામેના આરોપને ફગાવી દીધા હતા. કેસની સુનાવણી કરતા જસ્ટીસ એસ આર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચએ શુક્રવારે ( 19 મે 2023)ના રોજ કહ્યું કે આ જરૂરી છે કે આ એક્ટ હેઠળ આરોપીત પર કેસ ચલાવતા પહેલા તેના દ્વારા જાહેરમાં કરવામાં આવેલી ટિપ્પણીને આરોપ પત્રમાં રેખાંકિત કરવામાં આવે. તેનાથી અદાલતો ગુનાનું સંજ્ઞાન લેતા પહેલા તે નક્કી કરી શકશે કે  SC/ST કલમ હેઠળ કેસ બને છે કે નહીં?  


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ બીજી વ્યક્તિને સાર્વજનિક સ્થળે બેવકુફ, મૂર્ખ અથવા ચોર કહે છે, તો તે ચોક્કસપણે અપમાનજનક અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઈરાદાપૂર્વક અપમાનજનક અથવા શરમજનક કૃત્ય માનવામાં આવશે. જો આ શબ્દોનો ઉપયોગ SC અથવા ST વ્યક્તિને કહેવામાં આવી છે, ત્યાં સુધી કલમ કલમ-3(1) (એક્સ) હેઠળ વ્યક્તિને આરોપિત માન શકાય નહીં, જ્યા સુધી કે આ પ્રકારનો શબ્દ જાતિ સુચક ટિપ્પણીની સાથે કહેવામાં આવી ન હોય. જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે અવલોકન કર્યું કે, વિધાયિકાનો ઈરાદો સ્પષ્ટ જણાય છે કે, દરેક અપમાન અથવા શરમજનક ધમકી એ એસસી-એસટી એક્ટની કલમ 3(1)(10) હેઠળ ગુનો ગણાશે નહીં, સિવાય કે આવું માત્ર પીડિતાના એસસી અથવા એસટી હોવાને કારણે આવું ન કરવામાં આવ્યું હોય. કોર્ટે કહ્યું કે આ કેસમાં વ્યક્તિને અપમાનિત કરવાનો ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ. દરેક અપમાન અથવા ધાકધમકી એ SC/ST એક્ટની કલમ 3(1) (x) હેઠળ ગુનો નથી. જો આવી ટિપ્પણીમાં જાતિવાદી ઉદ્દેશ્ય ન હોય તો, આ કાયદા હેઠળ કેસ નોંધી શકાય નહીં.


ચાર્જશીટ રદ કરવાની કરી હતી માગ


અપીલમાં ચાર્જશીટ રદ કરવાની અને અપીલકર્તા સામે પડતર ફોજદારી કાર્યવાહી રદ્દ  કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, જાન્યુઆરી, 2016માં અપીલકર્તા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ બાદ જે એક દિવસની અંદર પૂરી થઈ ગઈ હતી તપાસ અધિકારીએ આઈપીસીની વિવિધ કલમો અને એસસી-એસટી એક્ટની કલમ 3(1) (10) હેઠળ ગુનો નોંધ્યો હતો. અપીલકર્તાએ તેના આધારે અપરાધિક કાર્યવાહી રદ્દ કરવાની માંગણી કરતા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો કે ચાર્જશીટમાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી અને કાર્યવાહી માત્ર હેરાન કરવાના ઈરાદાથી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કરતા કહ્યું હતું કે, કોઈ કેસમાં માત્ર એક જ દિવસમાં તપાસ પૂરી કરી લેવાની પ્રક્રિયા પ્રશંસનીય હોઈ શકે છે, પરંતુ વર્તમાન કેસમાં તે ન્યાયની સેવા કરવાની સરખામણીમાં વધુ અસંગત છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!