EWS અનામત પર સુપ્રીમ કોર્ટની સહમતી,10 ટકા અનામત યથાવત રાખ્યુ


  • Published By :
  • Published Date : 2022-11-07 12:41:18

EWS સર્ટિફિકેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે EWS આરક્ષણ પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે સુપ્રીમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે.5 જજની બેચમાથી ચાર જજોએ બંધારણના 103માં સંશોધન અધિનિયમ 2019ને યોગ્ય માન્યો છે.આ નિર્ણયને લોકો મોદી સરકારની મોટી જીત માની રહ્યા છે 5 જજની બેંચમાંથી ચાર જજોએ EWS અનામતના સમર્થનમાં નિર્ણય સંભળાવ્યો હતો. જ્યારે જસ્ટિસ રવિંદ્ર ભટ્ટે EWS અનામત પર અસહમતિ દર્શાવી હતી.

આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમને અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી. પાંચમાંથી ચાર જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાનું યોગ્ય ગણાવ્યું છે.


શું છે EWS અનામત ?

ઇકૉનોમિકલ વીકર સેક્શન (EWS) હેઠળ આર્થિક રીતે નબળા લોકોને સરકારી નોકરીથી લઇને શિક્ષણ સંસ્થામાં 10 ટકા અનામત આપવાની જોગવાઇ છે. જેની હેઠળ માત્ર જનરલ કેટેગરીના ગરીબ લોકોને અનામત આપવામાં આવશે.


- જે એસસી, એસટી, ઓબીસી નથી

- જેમની વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી છે

- ગામ છે તો તેની પાસે 5 એકરથી ઓછી ખેતીની જમીન છે અથવા 1000 વર્ગ ફૂટનું મકાન છે

- જે પરિવાર પાસે અધિસૂચિત નિગમમાં 100 વર્ગ ગજ અથવા ગેર અધિસૂચિત નિગમમાં 200 વર્ગગજ પ્લૉટનો પ્લૉટ છે.


ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું EWS અનામત ?

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં EWS અનામતની સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણમાં 103મો સુધારો કરવામાં આવ્યો હતો. 2019 માં લાગુ કરાયેલ EWS ક્વોટાને વર્તમાન તમિલનાડુ સરકાર સહિત ઘણા અરજદારો દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવ્યો હતો. જો કે, પાછળથી 2022 માં, બંધારણીય બેંચની રચના કરવામાં આવી હતી અને 13 સપ્ટેમ્બરના રોજ, મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત, ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી, ન્યાયાધીશ રવિન્દ્ર ભટ્ટ, ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી અને ન્યાયમૂર્તિ જેબી પાદરવાલાની બંધારણીય બેન્ચે તેના પર સુનાવણી શરૂ કરી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!