અદાણીની મુશ્કેલી વધી, હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માગ કરતી અરજી સુપ્રીમે સ્વિકારી, કાલે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-02-09 13:14:46

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ રિપોર્ટની તપાસની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અદાલતે કેન્દ્ર સરકારને આ માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવો જોઈએ.


અરજીકર્તાએ કોર્ટમાં શું દલીલ કરી?


અરજી દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ ગુરુવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની તાકીદની યાદીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બેંચને કહ્યું કે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી 10 ફેબ્રુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની છે. તેમણે બેન્ચને એક અલગ અરજી સાથે શુક્રવારે તેમની અરજીની સુનાવણી કરવા વિનંતી કરી. બેંચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. ગયા સપ્તાહની શરૂઆતમાં, એડવોકેટ એમએલ શર્માએ અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચના શોર્ટ સેલર નાથન એન્ડરસન અને ભારત અને અમેરિકામાં તેના સહયોગીઓ વિરુદ્ધ નિર્દોષ રોકાણકારોનું શોષણ કરવા અને અદાણી ગ્રુપના મૂલ્યને કથિત રીતે નીચે લાવવાના આરોપ હેઠળ કેસ ચલાવવાની માગ કરી હતી. 


મામલો શું છે?
 

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં અદાણી જૂથ પર છેતરપિંડીભર્યા ટ્રાન્ઝેક્સન અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ પછી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અદાણી જૂથે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે માહિતી જાહેર કરવા સંબંધિત તમામ કાયદા અને નીતિઓનું પાલન કરે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!