મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે બનાવી કમિટી, 3 મહિલા જજ કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-08-07 17:44:34

મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી છે, સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસાની સ્વતંત્ર તપાસ માટે 3 પૂર્વ મહિલા જજની કમીટી બનાવવાની સુચનો આદેશ આપ્યો છે. આ કમીટી સીબીઆઈ અને પોલીસ તપાસની અલગથી કેસ પર નજર રાખશે. તે ઉપરાંત કોર્ટે કહ્યું કે હિંસાની તપાસ માટે કેસ સીબીઆઈને સુપ્રત કરવામાં આવ્યો છે. કાયદાના શાસનને સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા ડેપ્યુટી એસપી રેન્કના પાંચ અધિકારીઓ હશે, જેને વિવિધ રાજ્યોમાંથી સીબીઆઈમાં લાવવમાં આવશે.


3 મહિલા જજ કરશે તપાસ


મણિપુર હિંસા કેસ મામલે આજે મહત્વનો નિર્ણય લેતા સીબીઆઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ માટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સીબીઆઈના આ અધિકારીઓ સીબીઆઈના પાયાના વહીવટી માળખાની ચારે બાજુથી તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આઈપીએસ એધિકારી સીબીઆઈ તપાસનું નિરિક્ષણ કરે. ત્રણ જજની સમિતીની અધ્યક્ષતા ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ કરશે અને તેમાં ન્યાયમૂર્તિ શાલિની જોશી, ન્યાયમૂર્તિ આશા મેનનનો પણ સમાવેશ થાય છે.  


ઈન્દિરા જયસિંહે કરી ધારદાર દલીલ


આ મામલે ઈન્દિરા જયસિંહે કહ્યું કે- આપણે બે ભાગમાં કાર્યવાહીને વહેંચી લેવી જોઈએ. જે ગુના થયા છે તેના પર યોગ્ય તપાસ અને ભવિષ્યમાં આવું બીજી વાર ન થાય તે માટે સુરક્ષાના ઉપાય કરવામાં આવે. તપાસ માટે કોર્ટ રિટાયર્ડ જજની આગેવાનીમાં પંચ બનાવે કે પછી પોતાની નજર હેઠળ તપાસ કરાવે.તમામ સંભવિત સંશાધનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરે. સ્થાનિક લોકો, સક્ષમ નાગરિક સંગઠન, સામાજિક કાર્યકર્તા એટલે કે એક્ટિવિસ્ટ, પીડિત લોકોમાંથી કેટલાંકને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. તપાસ માટે આ જરુરી છે. મણિપુર સરકાર દ્વારા એટોર્ની જનરલે કહ્યું કે- ગુનાની તપાસ માટે 6 જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સામેલ કરતા 6 SITનું ગઠન કરાયું છે. હિંસા, અશાંતિ અને નફરત દરમિયાન મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે મહિલા પોલીસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી રહી છે. અરજકર્તાઓના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે IPCની કલમ 166-એ અંતર્ગત પણ એક પણ FIR કરવામાં નથી આવી, જે કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓને જવાબદાર ગણે છે.આ દરમિયાન ઈન્દિરા જયસિંહે કહ્યું કે- નિર્ભયા કાંડ દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી. તેથી 2012માં સંશોધન દ્વારા IPCમાં 166-એ લાવ્યા. 166-એ મુજબ જે પોલીસ અધિકારી પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતા તેમણે સજાપાત્ર ગણવામાં આવે. અમે આ ધારાને લાગુ કરવાની માગ કરીએ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.