મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે બનાવી કમિટી, 3 મહિલા જજ કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-08-07 17:44:34

મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી છે, સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસાની સ્વતંત્ર તપાસ માટે 3 પૂર્વ મહિલા જજની કમીટી બનાવવાની સુચનો આદેશ આપ્યો છે. આ કમીટી સીબીઆઈ અને પોલીસ તપાસની અલગથી કેસ પર નજર રાખશે. તે ઉપરાંત કોર્ટે કહ્યું કે હિંસાની તપાસ માટે કેસ સીબીઆઈને સુપ્રત કરવામાં આવ્યો છે. કાયદાના શાસનને સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા ડેપ્યુટી એસપી રેન્કના પાંચ અધિકારીઓ હશે, જેને વિવિધ રાજ્યોમાંથી સીબીઆઈમાં લાવવમાં આવશે.


3 મહિલા જજ કરશે તપાસ


મણિપુર હિંસા કેસ મામલે આજે મહત્વનો નિર્ણય લેતા સીબીઆઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ માટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સીબીઆઈના આ અધિકારીઓ સીબીઆઈના પાયાના વહીવટી માળખાની ચારે બાજુથી તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આઈપીએસ એધિકારી સીબીઆઈ તપાસનું નિરિક્ષણ કરે. ત્રણ જજની સમિતીની અધ્યક્ષતા ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ કરશે અને તેમાં ન્યાયમૂર્તિ શાલિની જોશી, ન્યાયમૂર્તિ આશા મેનનનો પણ સમાવેશ થાય છે.  


ઈન્દિરા જયસિંહે કરી ધારદાર દલીલ


આ મામલે ઈન્દિરા જયસિંહે કહ્યું કે- આપણે બે ભાગમાં કાર્યવાહીને વહેંચી લેવી જોઈએ. જે ગુના થયા છે તેના પર યોગ્ય તપાસ અને ભવિષ્યમાં આવું બીજી વાર ન થાય તે માટે સુરક્ષાના ઉપાય કરવામાં આવે. તપાસ માટે કોર્ટ રિટાયર્ડ જજની આગેવાનીમાં પંચ બનાવે કે પછી પોતાની નજર હેઠળ તપાસ કરાવે.તમામ સંભવિત સંશાધનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરે. સ્થાનિક લોકો, સક્ષમ નાગરિક સંગઠન, સામાજિક કાર્યકર્તા એટલે કે એક્ટિવિસ્ટ, પીડિત લોકોમાંથી કેટલાંકને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. તપાસ માટે આ જરુરી છે. મણિપુર સરકાર દ્વારા એટોર્ની જનરલે કહ્યું કે- ગુનાની તપાસ માટે 6 જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સામેલ કરતા 6 SITનું ગઠન કરાયું છે. હિંસા, અશાંતિ અને નફરત દરમિયાન મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે મહિલા પોલીસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી રહી છે. અરજકર્તાઓના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે IPCની કલમ 166-એ અંતર્ગત પણ એક પણ FIR કરવામાં નથી આવી, જે કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓને જવાબદાર ગણે છે.આ દરમિયાન ઈન્દિરા જયસિંહે કહ્યું કે- નિર્ભયા કાંડ દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી. તેથી 2012માં સંશોધન દ્વારા IPCમાં 166-એ લાવ્યા. 166-એ મુજબ જે પોલીસ અધિકારી પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતા તેમણે સજાપાત્ર ગણવામાં આવે. અમે આ ધારાને લાગુ કરવાની માગ કરીએ છીએ.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!