મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટની ટકોર, 'કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તે અમારૂ કામ નથી'


  • Published By :
  • Published Date : 2023-07-10 17:24:38

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડે આજે મણિપુર હિંસા પર અનેક અરજીઓ પર સુનાવણી કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે કાયદો અને વ્યવસ્થા ચલાવી શકે નહીં. આ કામ ચૂંટાયેલી સરકારનું છે. જો કે કુકી સમુદાય તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કોલિન ગોંસાલ્વેસે રાજ્યમાં વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પૂર્વ ભારતના રાજ્યોમાં સ્થિતીને નિયંત્રિત કરવા માટે કોર્ટની દખલની માગ કરી છે.


સુપ્રીમ કોર્ટે શું ટકોર કરી?


સિનિયર એડવોકેટ ગોંસાલ્વેસે આરોપ લગાવ્યો કે મણિપુરમાં હિંસાને ભાજપના નેતૃત્વવાળી સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તેમણે રાજ્ય સરકાર પર હિંસામાં સામેલ સશસ્ત્ર ગૃપનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે આ બાબત પર ભાર આપ્યો કે સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના મામલે કોર્ટની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો કે આપણે સુપ્રીમ કોર્ટના અધિકારો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. અમે કાયદો અને વ્યવસ્થા ચલાવી નથી શક્તા, તે ચૂંટાયેલી સરકારનું કામ છે, કાયદો અને વ્યવસ્થા તે જ જોશે. આ મુદ્દાને માનવીય દ્રષ્ટીકોણથી જોવો જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કાર્યવાહીઓને ઉપયોગ હિંસા અને અન્ય સમસ્યાઓને વધારવાના પ્લેટફોર્મ તરીકે કરવામાં આવે. આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે કાયદો અને વ્યવસ્થા નથી ચલાવી રહ્યા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કાલે આ કેસની સુનાવણી કરીશું. તેમણે ગોંસાલ્વેસને આગામી સુનાવણીમાં સારા સુચનો આપવોની ટકોર કરી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.